કેનેડાએ ભારત પર પાયાવિહોણા આરોપો બાદ હવે ત્યાંની એક ગુપ્તચર એજન્સીએ મોટો આરોપ લગાવ્યો છે. એજન્સીનો આરોપ છે કે ભારત સાયબર ટેક્નોલોજી દ્વારા વિદેશમાં અલગાવવાદીઓ પર નજર રાખી રહ્યું છે. તેમાં એમ પણ કહેવાયું છે કે ભારત કેનેડા પર પણ સાયબર હુમલાઓ કરી રહ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. કેનેડાની જાસૂસી એજન્સીએ નવી ચેતવણી જાહેર કરી છે. કેનેડાએ ફરી એકવાર એવો આરોપ લગાવ્યો છે કે ભારત કેનેડા પર મોટો સાયબર હુમલો કરી શકે છે. કેનેડાની સરકારી વેબસાઇટને સતત નિશાન બનાવવામાં આવી રહી છે.
કેનેડાની કોમ્યુનિકેશન સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટ અનુસાર, ભારત સાયબર ટેક્નોલોજી દ્વારા અલગતાવાદીઓ પર નજર રાખી રહ્યું છે. એજન્સીનો આરોપ છે કે ભારત કેનેડાના સરકારી નેટવર્ક પર હુમલા વધારવા માટે સાયબર ક્ષમતાઓનો પણ ઉપયોગ કરી રહ્યું છે.
કેનેડિયન એજન્સીએ શું આરોપ લગાવ્યો?
કેનેડાના કોમ્યુનિકેશન્સ સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટના વડા કેરોલિન ઝેવિયરે જણાવ્યું હતું કે, "તે સ્પષ્ટ છે કે અમે ભારતને ઉભરતા સાયબર જોખમી દેશ તરીકે જોઈએ છીએ. એજન્સીનું કહેવું છે કે સાયબર હુમલાને કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડ્યા છે.
એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે કેનેડાના આરોપોને પગલે, ભારત તરફી હેકટીવિસ્ટ જૂથે આર્મીની સાઇટ સહિત કેનેડિયન વેબસાઇટ્સ પર DDoS હુમલા શરૂ કર્યા હતા. ઓનલાઈન ટ્રાફિકથી વેબસાઈટ ભરાઈ ગઈ હતી. જેના કારણે લોકો આ વેબસાઇટ્સ એક્સેસ કરી શક્યા નથી.
વર્ષ 2023માં કેનેડાના વાનકુવરમાં કેનેડિયન આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. બાદમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર હત્યાનો આરોપ લગાવ્યો હતો પરંતુ આજ સુધી ટ્રુડો એક પણ પુરાવા રજૂ કરી શક્યા નથી. નિજ્જરની હત્યા બાદ કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો વણસેલા છે. ભારતે કેનેડામાંથી પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. આ સિવાય ભારત દ્વારા છ કેનેડિયન રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
આ યાદીમાં ભારત સિવાય કયા દેશો છે?
કેનેડાની ગુપ્તચર એજન્સીએ ભારતને ઉભરતા સાયબર જોખમી દેશોની યાદીમાં સ્થાન આપ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં ભારત સિવાય રશિયા, ચીન અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે.
પશ્ચિમી દેશો રશિયા, ચીન અને ઉત્તર કોરિયાને મોટો ખતરો માને છે. નવી દિલ્હીમાં G-20 સમિટમાંથી પરત ફર્યા બાદ જસ્ટિન ટ્રુડોએ ભારત પર સતત આક્ષેપો કર્યા છે. જોકે, ભારતે આરોપોના સમર્થનમાં અનેક વખત પુ
રાવાની માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMWhatsApp બનશે વધુ Private, પરમિશન વગર નહી થાય ફોટો/વિડીયો સેવ
April 08, 2025 04:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech