લોહાણા દાતા તથા એનીમલ લવર્સ ગ્રુપ અને શિવબળદ આશ્રમના સહયોગથી કેમ્પ યોજાયો
થેલેસેમીયાગ્રસ્ત બાળકોને મળી રહે એ માટે ભાણવડ ખાતે લોહાણા દાતાલાલજીભાઇ ભનુલાલ પોપટના સંપૂર્ણ આર્થિક સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન થયું હતું, તેમાં ભાઇઓ-બહેનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતા દશર્વિી હતી.
અત્રે રણજીતપરામાં ભાણવડ એનીમલ લવર્સ ગ્રુપ અને શિવ, બળદ આશ્રમના સંયુક્ત આયોજનથી વિશ્ર્વકમર્નિા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમ દીપ પ્રાગટ્ય થયું હતું, આ તકે એનીમલ લવર્સ ગ્રુપના અગ્રણી અશોકભાઇ ભટ્ટે કહ્યું કે, રક્ત માટે કોઇ કારખાનું હોતું નથી, તે માત્ર માનવના શરીરમાં મળી રહે છે.
ત્યારે થેલેસેમીયાગ્રસ્ત લોકો માટે જે રક્તદાન કેમ્પનું આયોજન થયું છે, તેમાં વધુને વધુ રક્તદાતાઓ રક્તદાન કરે તે જરી છે, રક્તદાન કેમ્પમાં ભાઇઓ તથા બહેનોએ પણ રક્તદાન કરી ઉત્સાહ દેખાડ્યો હતો. દરેક રક્તદાઓને બિરદાવવા માટે પ્રમાણપત્ર સાથે આકર્ષક ભેટ આપવામાં આવી હતી, રક્તદાન શિબિરમાં ખંભાળીયા જનરલ હોસ્પિટલની બ્લડ બેંક સેવા આપી રહી હતી. કેમ્પને સફળ બનાવવા માટે એનીમલ લવર્સ ગ્રુપ તેમજ શિવબળદ આશ્રમના સેવાભાવીઓએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech