ભાવનગરના ફુલસર વિસ્તારમાં રહેતો યુવાન પોતાનું બાઈક લઈ પાલીતાણાના દુધાળા ગામ નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનનો ચાલક યુવાનના બાઈકને અડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નીપજાવી નાસી છૂટ્યો હતો.
પાલીતાણાના દુધાળા નજીક સર્જાયેલા અકસ્માત અંગે ભાવનગરના ફુલસરમાં રહેતા ગોપાલભાઈ ગંભીરભાઈ ભેવલિયા (ઉ. વ. ૩૨)એ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતાનો નાનો ભાઈ સંજયભાઈ બોટાદની એક ટ્રેક્ટર કંપનીમાં નોકરી કરતો હોય અને બાઈક લઈ દરરોજ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં નોકરી સબબ જતો હોય ગઈકાલે સવારે પોતાનું બાઈક નંબર જી. જે.૧૪ બી ઈ ૨૧૪૬ પર નોકરીના કામેથી મોડી રાત્રીના ભાવનગર પરત આવી રહ્યો હતો ત્યારે પાલીતાણા તાલુકાના દુધાળા ગામના પાટીયા નજીક કોઈ અજાણ્યા વાહનના ચાલકે સંજયભાઈના બાઈકને અડફેટે લઈ તેને ગંભીર ઇજાઓ પહોંચાડી તેનું સ્થળ પરજ મોત નીપજાવી નાસી છૂટ્યો હતો. આ અંગે પાલીતાણા રૂરલ પોલીસે ગોપાલભાઈની ફરિયાદ લઈ અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech