ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા દિલીપસિંહ જાડેજા નામના 45 વર્ષના યુવાન બુધવાર તારીખ 3 ના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે તેમના જી.જે. 37 એ. 0551 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે ભાતેલ ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક ટ્રેક્ટરના ચાલક જટુભા અજીતસિંહ જાડેજા (ઉ.વ. 45, રહે. ભાતેલ)એ દિલીપસિંહના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થવા પામી હતી. આથી તેમને ગંભીર હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત સર્જીને આરોપી પોતાનું ટ્રેકટર લઈને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે મૃતકના પુત્ર ગીરીરાજસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ. 28, રહે. વડત્રા) ની ફરિયાદ પરથી ટ્રેક્ટરના ચાલક જટુભા અજીતસિંહ જાડેજા સામે આઈપીસી કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી લેવામાં આવી હતી. આ અંગે વધુ તપાસ પી.એસ.આઈ. વી.બી. પીઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech