ખેડૂત માલધારીઓ સહિત 150 ગ્રામજનો દ્વારા લડતના મંડાણ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભેનકવડના લગભગ 150 જેટલા ગ્રામજનો દ્વારા ગૌચરની જમીન મુદદે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરાયુ છે. ગ્રામજનોની વારંવાર રજુઆત છતા ગૌચરની જમીન ગ્રા.પં.ના ચોપડે નોંધ ના કરતા ગ્રામજનોએ લડત શરૂ કર્યાનુ જણાવાયુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ભેનકવડ ગામના ગૌચર માટે સવા બસો એકરથી વધુ જમીન ફાળવવામાં આવી હતી. જે ગૌચર માટે નીમ કરાઇ હતી. જેથી ગામના પશુ પાલકો માલધારી પશુઓ ચરાવી શકે તથા ધંધા ચાલે પરંતુ આ પછી 1999માં જામનગર જિલ્લા કલેક્ટર(ત્યારે દ્વારકા જિલ્લો ન હતો) દ્વારા હુકમ કરીને આ ગૌચરની જમીન રદ (પરત લઇ લેવાતા) કરવામાં આવતા ગ્રામજનોએ તેની સામે હાઇકોર્ટમાં રીટ કરી હતી.
જેમાં હાઇકોર્ટ દ્વારા જિલ્લા કલેકટરનો હુકમ રદ કરીને આ જમીન ગૌચરની ચાલુ રાખવા જણાવેલ છતાં પણ ગૌચરની આ જમીનની એન્ટ્રી ના થતા ભેનકવડ ગામના 150 જેટલા ખેડૂતો માલધારીઓએ પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરીને આ પ્રશ્ને ન્યાય મેળવવા માટે લડત શરૂ કરી છે.બીજી બાજુ ગૌચરની જમીનનો આ મુદદો હાલ ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી….
April 07, 2025 05:47 PMપશુઓને હીટવેવથી બચાવવા પશુપાલન વિભાગ જામનગર દ્વારા માર્ગદર્શિકા બહાર પડાઈ
April 07, 2025 05:45 PMયોગા કે વોકિંગ: કેલરી બર્ન કરવા માટે કયું સારું?
April 07, 2025 05:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech