બીસીજી દ્વારા 41 ધારાશાસ્ત્રીઓ માટે રૂ. 14. 40 લાખની માંદગી સહાય મંજુર

  • June 09, 2025 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વેલફેર ફંડની ગઈકાલ તા. 8ને રવિવારના રોજ મળેલી બેઠકમાં 41 જેટલા ધારાશાસ્ત્રીઓની માંદગી સહાય અરજીઓ મંજૂર કરીને કુલ રૂપિયા 14.40 લાખની સહાય ચૂકવવા ઠરાવવામાં આવ્યું હતું.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સને ૧૯૯૨થી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ મારફતે મૃત્યુસહાય અને માંદગી સહાય સમિતિ દ્વારા જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને આંશિક માંદગી સહાય આપવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાય સમિતિના ચેરમેન દિલીપ કે. પટેલ અને સભ્યો ભરત વી. ભગત, શંકરસિંહ એસ.ગોહિલની હાજરીમાં તા.૮/ ૦૬/ ૨૦૨૫ના રોજ મીટિંગ મળી હતી. જેમાં બાર ગુજરાતના જુદાં તાલુકા અને જિલ્લા અદાલતોના ૪૧ જેટલા ધારાશાસ્ત્રીઓની માંદગી સહાય મેળવવા માટેની અરજીઓ મંજુર કરતા માંદગી સહાય પેટે કુલ રૂપિયા 14.40 લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. ૧૦ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમિટી દ્વારા પણ ધારાશાસ્ત્રીઓને વધુ માંદગી સહાય મળી રહે તે માટે ભલામણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરનાર ધારાશાસ્ત્રીઓ જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાયનો લાભ મેળવવા હકકદાર બને છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application