કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા દિનેશભાઈ ભીખાભાઈ પરમાર નામના 34 વર્ષના યુવાન પર મરચાની ભૂકી છાંટીને હુમલો કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ આજ વિસ્તારમાં રહેતા લાખા રણમલભાઈ મકવાણા, જેસા અરસીભાઈ પરમાર, લક્ષ્મીબેન રામશીભાઈ જાદવ અને રાણીબેન જેસાભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી દિનેશભાઈએ આરોપી જેસાભાઈની વાડી ખેતર ભાગમાં વાવેતર કરવા માટે રાખી હતી. જેથી આરોપી જેસાભાઈએ ફરિયાદી દિનેશભાઈને ખેતર ખાલી કરી આપવાનું કહેતા ફરિયાદી દિનેશભાઈએ વાવણીમાં થયેલી નુકસાનીની રકમ ચૂકવી આપવાનું કહેતા આ બાબતે થયેલી બોલાચાલી બાદ ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. કલ્યાણપુર પોલીસે બે મહિલાઓ સહિત તમામ ચાર આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.
ખંભાળિયામાં વૃદ્ધાને હૃદયરોગનો જીવલેણ હુમલો
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા ગુલાબબેન ચૈથીરામભાઈ ગોડ નામના 61 વર્ષના વૃદ્ધાને ગઈકાલે શુક્રવારે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર અજયભાઈએ અહીંની પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech