પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સ્થિત કોલસાની ખાણમાં મોટો હુમલો થયો છે. સશસ્ત્ર લોકોએ કોલસાની ખાણ પર હુમલો કર્યો. અત્યાર સુધીમાં 20 લોકોના મોતના અહેવાલ છે. આ ઘટના આજે વહેલી સવારે બલૂચિસ્તાનના ડુકી વિસ્તારમાં બની હતી. અહીં સ્થિત જુનૈદ કોલ કંપ્નીની ખાણો પર સશસ્ત્ર લોકોએ હુમલો કર્યો હતો.
પોલીસ અધિકારી હુમાયુ ખાને જણાવ્યું હતું કે વહેલી સવારે ભારે હથિયારોથી સજ્જ લોકોએ ખાણ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ખાણ પર રોકેટ અને ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. ડો. જોહર ખાન શાદીઝાઈના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 20 મૃતદેહો અને છ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે રાત્રે બલૂચ લિબરેશન આર્મીએ કરાચી ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ચીની નાગરિકો પર હુમલો કર્યો. આ આત્મઘાતી હુમલામાં બે ચીની નાગરિકો સહિત ત્રણ લોકો માયર્િ ગયા હતા. જ્યારે અન્ય 17 લોકો ઘાયલ થયા હતા. બીએલએએ પોતે હુમલાની જવાબદારી લીધી હતી. હુમલા બાદ ચીને પાકિસ્તાનમાંથી પોતાના 400 નાગરિકોને પરત બોલાવી લીધા છે. સાથે જ પાકિસ્તાન સરકાર પર ચીનના નાગરિકો અને ચીની પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે દબાણ કરવામાં આવ્યું છે.
બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની ઝુંબેશ 1948થી ચાલી રહી છે. બલૂચ લિબરેશન આર્મી એટલે કે બીએલએ બંદૂકના જોરે આઝાદીની માંગ કરે છે. આ અલગતાવાદી જૂથ બલૂચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય ભાગોમાં સેના અને અન્ય ઘણા પ્રોજેક્ટ્સને નિશાન બનાવે છે. તાજેતરમાં જ ગ્રુપે ચીનના પ્રોજેક્ટ અને તેના નાગરિકો સામે મોરચો ખોલ્યો છે. બીએલએનો આરોપ છે કે ચીન પાકિસ્તાન સરકાર સાથે મળીને બલૂચિસ્તાનના સંસાધનોને લૂંટી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનામાં હેલિકોપ્ટરની ભારે અછત, લશ્કરી કામગીરી પ્રભાવિત
April 19, 2025 10:54 AMઅમેરિકા ક્રિમીઆ પર રશિયાના નિયંત્રણને માન્યતા આપી શકે
April 19, 2025 10:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech