આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આતિશીને નવા સીએમ તરીકે નિયુક્ત કર્યા છે. ત્યારે આતિશી હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. મોટાભાગના ધારાસભ્યો આના પર સહમત હતા. આતિશીના નામની સત્તાવાર જાહેરાત મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને ધારાસભ્ય દળની બેઠક પૂરી થયા બાદ કરવામાં આવશે.
ધારાસભ્ય દળની બેઠક પહેલા અરવિંદ કેજરીવાલે આજે તેમના નિવાસસ્થાને PACની બેઠક બોલાવી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠકમાં PACના તમામ સભ્યો અને વર્તમાન કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. કેજરીવાલે બેઠકમાં હાજર દરેક નેતાઓ સાથે દિલ્હીના નવા મુખ્યમંત્રી વિશે ચર્ચા કરી અને તેમનો પ્રતિભાવ લીધો હતો.
કોણ છે આતિશી?
આતિશીનો જન્મ દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વિજય કુમાર સિંહ અને ત્રિપતા વાહીને ત્યાં થયો હતો. તેણે સ્પ્રિંગડેલ સ્કૂલ, નવી દિલ્હીમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો છે. સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ઈતિહાસમાં સ્નાતકની ડિગ્રી અને ચેવેનિંગ શિષ્યવૃત્તિ પર ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. થોડા વર્ષો પછી તેમણે શૈક્ષણિક સંશોધનમાં રોડ્સ સ્કોલર તરીકે ઓક્સફોર્ડમાંથી તેમની બીજી માસ્ટર ડિગ્રી મેળવી છે.
આતિશીની રાજકીય સફર
આતિશી તેની સ્થાપના સમયે પાર્ટીમાં જોડાઈ હતી. તે 2013ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની મેનિફેસ્ટો ડ્રાફ્ટિંગ કમિટીના મુખ્ય સભ્ય હતા. AAPનું કહેવું છે કે તેમણે પાર્ટીની રચનાના પ્રારંભિક તબક્કામાં તેની નીતિઓને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આતિશી AAPના પ્રવક્તા પણ હતા. તેમણે જુલાઈ 2015 થી એપ્રિલ 2018 સુધી દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ કર્યું અને દિલ્હીની સરકારી શાળાઓમાં શિક્ષણના ધોરણને સુધારવા માટે ઘણી યોજનાઓ પર કામ કર્યુ છે.
આતિશીને 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હીથી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેઓ ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે 4.77 લાખ મતોથી હારી ગયા હતા. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમણે પાર્ટીની ટિકિટ પર કાલકાજી વિસ્તારમાંથી ચૂંટણી જીતી હતી અને ભાજપના ઉમેદવારને 11 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. પાર્ટીમાં આતિશીના વધતા રાજકીય કદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2020ની ચૂંટણી બાદ તેમને આમ આદમી પાર્ટીના ગોવા યુનિટના પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના સૌથી વિશ્વાસુ કમાન્ડરનું સ્થાન આપ્યું છે. .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિજય માલ્યાની લોન ચુકવણીના દાવા સરકારે નકારી કાઢ્યા, કહ્યું હજુ પણ 7000 કરોડ રૂપિયા બાકી
June 10, 2025 11:24 AMએગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે
June 10, 2025 11:20 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech