કોડીનાર ખાતે આવેલ સંસ્થામાં રહેલા દિવ્ય બાળકોને ગીર સોમનાથ જિલ્લ ા ટ્રાફીક શાખા દ્વારા તમામ બાળકોને બપોરનું ભોજન આપવામા આવ્યું હતું. અને સંસ્થાની મુલાકાત લીધેલ આ દિવ્ય બાળકોને પોલીસે જાતે ભોજન પીરસતા તમામના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી હતી.
ગીર સોમનાથ જિલ્લા ટ્રાફીક શાખા દ્રારા કોડીનાર ખાતે આવેલ જીવનદીપ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રષ્ટ કોડીનાર સંસ્થામા ૩૬ દિવ્ય બાળકોને બપોરનું ભોજન કરાવી સંસ્થાની મુલાકાત કરવામા આવેલ હતી. જેમાં દિવ્ય બાળકોને ટ્રાફીક પોલીસ સ્ટાફ દ્વારા જાતે ભોજન પીરસી સેવાકીય કામમાં સહભાગી બન્યા હતા. આ દિવ્ય બાળકોને ભોજન કરાવામાં આવતા તમામના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ટ્રાફીક પોલીસ સ્ટાફ દ્વારા દિવ્ય બાળકોને ભોજન સેવાની કામગીરીમાં જીલ્લા ટ્રાફીક પોલીસના એ એસ આઈ ધીરેન્દ્રસિંહ જસાભાઈ સિંધવ, લખમણભાઈ ભીખાભાઈ વાળા, ભરતભાઈ કરશનભાઇ વાજા, સરમણભાઈ નાથભાઈ નંદાણીયા, વરજાગભાઈ ઉકાભાઇ ધામા, મુકેશભાઈ શાંતિલાલ સિદ્ધપુરા, સંજયભાઈ કેશુભાઈ રાઠોડ, અવીરાજસિંહ ગંભીરસિંહ વાજા રાઠોડ, તેમજ દિપકભાઈ બાલુભાઈ ચૌહાણ સહિતનો સ્ટાફ જોડાયો હતો. આથી દીવ્ય બાળકોને ભોજન કરાવી સૌ કોઈએ આ સેવાકિય કામગીરીને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેસ્ટ ટુ એનર્જી કંપની બંધ થતાં જામ્યુકોને નુકશાન
May 19, 2025 10:41 AMજામનગરમાં છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની નોટીસ બાદ દબાણો દૂર થતાં રાહત
May 19, 2025 10:38 AMહાપા રેલ્વે સ્ટેશન: જામનગરના ઔદ્યોગિક કોરિડોરનું આધુનિક પ્રવેશદ્વાર
May 19, 2025 10:37 AMકાલાવડના અરજદારની ડીલે કોન્ડોન કરવાની રીવીઝન રદ કરતા કલેક્ટર
May 19, 2025 10:33 AMદેવભૂમિ દ્વારકા જિલ્લાના એન.એફ.એસ.એ અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડધારકો જોગ
May 19, 2025 10:33 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech