ચોટીલામાં છેલ્લ ા ઘણા સમય થી શાસકો પાયાની સુવિધા આપવામાં ઉણાં ઉતર્યા છે તેમા ખાસ કરી ને લાઇટ, પાણી અને સફાઇ નો પ્રશ્ર અનેક વોર્ડમા જોવા મળે છે તાજેતરમાં જ હાઇવેની હોટલની ગંદા પાણીની ગટર ખુલ્લ ી મુકી દેવાતા યોતિ નગરના રહીશો ત્રાહીમામ પોકારી ઊઠતા પ્રાત કચેરીએ દોડી ગયા હતા.
નોકરીયાત વર્ગનો વસવાટ ધરાવતી સોસાયટીમાં ગંદા પાણીનો નીકાલ કરાયો છે તે અટકાવી રોગચાળાનાં ઘરમાંથી બચાવવા રજૂઆત કરી છે. કર્મચારી વર્ગના લોકોએ આવેદનમાં જણાવ્યું છે કે સોસાયટીમાં ૧૫૦ પરિવારો રહે છે. જેમા આવવા જવાના મુખ્યમાર્ગ એટલે કે સોસાયટીના મેઇન રોડ પર ઉપરવાસમાં આવેલી હોટેલો તથા રહેઠાણ વિસ્તારનું ગટરનું ગંદુ પાણી ખુલ્લ ુ છોડી દેવામાં આવેલ છે. જેના કારણે સ્થાનિકો આવવા જવાની અત્યતં મુશ્કેલીઓ અને અગવડતાઓ પડે છે. તેના કારણે રસ્તો પણ તુટી ગયેલ છે. ખુલ્લી ગટરના પાણીના કારણે મચ્છરોનો અને જુદા જુદા વાયરલ ઈંફેકશનના કારણે નાના બાળકો અને રહિશોમાં બિમારીનું પ્રમાણ વધી જવા પામેલ છે. જો આ ગંદકી વાળા પાણીને નહિ રોકવામા આવે તો આવનારા સમયમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની પુરેપુરી સંભાવનાઓ છે.
સ્થાનિકોએ પ્રાત અધિકારી કલ્પેશ શર્મા ને સ્થળ વિઝીટ કરી રહીશોની નર્કાગારની સ્થિતિ નિહાળવા આમંત્રણ પાઠવી આ ત્રાસ માંથી મુકિત અપાવવા ની માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech