રાયમાં વરસાદના કારણે પાણીજન્ય અને વાહક જન્ય રોગનું પ્રમાણ વધુ જોવા મળતા રાયના આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગના સચિવ અને કમિશ્નર દ્રારા રાયકક્ષાએથી પાણીજન્ય અને વાહક જન્ય રોગોનું નિયમિત મોનિટરિંગ અને સમીક્ષા કરવામાં આવી રહી છે. ગઈકાલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલએ વરસાદની પ્રવર્તમાન સ્થિતિની પગલે પામીજન્ય અને વાહક જન્ય રોગોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. ડેન્ગ્યુ, મેલેરીયા , ચિકનગુનીયા જેવા વાહક જન્ય અને અન્ય પાણીજન્ય રોગોની સમગ્રતયા પરિસ્થિતિનો વિગતવાર તાગ મેળવીને વિભાગને જરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં સમગ્ર સ્થિતિની સમીક્ષા કરતા હાલની સ્થિતિએ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગોના કેસોમાં ગત વર્ષની સાપેક્ષમાં ઘટાડો નોંધાયો હોવાનું જણાયું હતુ. પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી, કોલેરા, ટાઈફોડ વગેરે રોગોમાં ગત વર્ષની સાપેક્ષમાં ઘટાડો નોંધાયેલ છે. હાલમાં ગુજરાત રાયમાં સીઝનલ લુના જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં કુલ ૧૬૧૪ કેસો નોંધાયેલ છે. છેલ્લા ૧૫ દિવસથી આ કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આરોગ્ય મંત્રીએ ચાલુ વર્ષે વરસાદની પેટર્નને ધ્યાનમાં લેતા હજુ વધુ ૧૫ દિવસ સુધી ડેન્ગ્યુ માટેની તમામ પ્રવૃત્તિઓ જેવી કે સર્વેલન્સ , પોરાનાશક કામગીરી, પ્રચાર પ્રસારની કામગીરી વધુ સઘન બનાવવા જરી સૂચન કર્યા હતા.
આરોગ્યમંત્રીએ ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા માટે જવાબદાર એડિસ ઈજિાઇ મચ્છર દિવસે કરડતો હોવાથી પાણીના પાત્રો ઢાંકીને રાખવા, હાલમાં ચાલતા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ દરમિયાન ઝાડી ઝાંખરા દૂર કરાવવા અને કોઈપણ જગ્યાએ પાણી સ્થગિત ન થાય તે મુજબની કામગીરીને વેગ આપવા રાયના નાગરિકોને અપીલ કરી છે. વધુમાં સવાર અને સાંજે બારી બારણા બધં રાખવા તથા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના ચિન્હો જણાય તો ડોકટરની સલાહ મુજબ સારવાર કરાવવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવકફ બોર્ડે ગરીબ મુસ્લિમોના વિકાસ માટે શું કર્યુ છે ? ખુદ મુસ્લિમોએ સવાલ પૂછવા જોઇએ
April 15, 2025 10:59 AMજામનગર: કાલાવડ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર ડે નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 15, 2025 10:58 AMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
April 15, 2025 10:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech