યુપીમાં પ્રાણીઓ દ્વારા ટ્રેન દુર્ઘટના કરાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. યુપીમાં એક જ રાત્રે એક જ જગ્યાએ ત્રણ ટ્રેનો સામે પ્રાણીઓ અથડાયા હતા. આ ઘટના દિલ્હી-લખનૌ રેલ્વે માર્ગ પર દબટોરા ગામ પાસે બની હતી. દિલ્હી-લખનૌ રેલ્વે માર્ગ પર એક જ રાતમાં ટ્રેનો સાથે પ્રાણીઓ અથડાવાની ત્રણ ઘટનાઓ બની હતી.
આ દુર્ઘટના સોમવારે રાત્રે યુપીના દાબતોરી રેલવે સ્ટેશન પાસે બની હતી. સૌ પ્રથમ રાત્રે 9.35 વાગ્યે, જ્યારે 04317 અલીગઢ બરેલી પેસેન્જર ટ્રેન પસાર થઈ, ત્યારે ત્રણ પ્રાણીઓ કચડાઈને મૃત્યુ પામ્યા હતાં. જેના કારણે લગભગ 15 મિનિટ સુધી રેલવે માર્ગ ખોરવાઈ ગયો હતો અને ટ્રેન ત્યાં જ ઊભી રહી ગઈ હતી. ત્યારબાદ ટ્રેકને સાફ કરીને આગળ મોકલવામાં આવ્યો હતો.
ફરીથી થયો અકસ્માત
આના થોડા સમય પછી 10.27 વાગ્યે જ્યારે એક ઇલેક્ટ્રિક એન્જિન ત્યાંથી પસાર થયું, ત્યારે પાંચ પ્રાણીઓ પણ તેની ઝપેટમાં આવી ગયા અને તેઓ પણ મૃત્યુ પામ્યા હતાં. આ પછી રાત્રે 11.35 વાગ્યે જ્યારે લખનૌથી દિલ્હી જતી 14013 સદભાવના એક્સપ્રેસ ત્યાંથી પસાર થઈ, ત્યારે રેલવે ટ્રેક પર ઉભેલા પાંચ પ્રાણીઓ તેની ઝપેટમાં આવી જતાં મોત નીપજ્યાં હતા.
આ ઘટના બાદ મોડી રાત્રે આરપીએફના જવાનોને ટ્રેક સાઈડ પર તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આવી ઘટના સામાન્ય રીતે બનતી નથી કે એક જ રાત્રે એક જ જગ્યાએ ત્રણ વખત ટ્રેન જાનવર સાથે અથડાય. રેલવે પણ તેને ષડયંત્રના દૃષ્ટિકોણથી જોઈ રહ્યું છે અને આ એંગલથી મામલાની તપાસ કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech