અનિલ અંબાણી માટે 2025નું વર્ષ મોટું વર્ષ બની શકે છે. બજારમાં ઘટાડા વચ્ચે, તેમની કંપની રિલાયન્સ પાવર સાથે સંબંધિત એક સમાચારે રોકાણકારોમાં હલચલ મચાવી દીધી છે. હકિકતમાં, અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવર લિમિટેડ, જે દેવું ચૂકવ્યા પછી એક નવી શરૂઆત તરફ આગળ વધી રહી છે, તે એક મોટું રોકાણ કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, રિલાયન્સ પાવર આંધ્રપ્રદેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ અને સૌર ઉત્પાદન એકમો પર રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ ભારતના નવીનીકરણીય ઉર્જા લક્ષ્યોને તો વેગ આપશે જ, સાથે સાથે રિલાયન્સ પાવરને એક નવી તાકાત પણ આપશે.
શું છે આખો મામલો?
ETના અહેવાલ મુજબ, રિલાયન્સ પાવરની પેટાકંપની રિલાયન્સ NU સેન્ટેક પ્રાઇવેટ લિમિટેડને 930 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ અને 1,860 મેગાવોટ બેટરી સ્ટોરેજ ક્ષમતા પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં સ્થાપિત કરવામાં આવશે અને તેને એશિયાનો સૌથી મોટો સૌર અને બેટરી ઉર્જા સંગ્રહ પ્રોજેક્ટ તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે.
રૂ. 6,500 કરોડનું રોકાણ કરશે
કંપની વિશાખાપટ્ટનમ નજીક રામબિલ્લી ઔદ્યોગિક વિસ્તારમાં સૌર ઉત્પાદન સુવિધા માટે રૂ. 6,500 કરોડનું રોકાણ કરશે. આ માટે 1,500 એકર જમીન શોધવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પર કામ ટૂંક સમયમાં શરૂ થશે અને આગામી 24 મહિનામાં તે કાર્યરત થવાની યોજના છે.
રોજગારીનું પણ સર્જન થશે
આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશમાં મોટાપાયે રોજગારીની તકોનું સર્જન કરશે. તેનાથી 1,000 કાયમી નોકરીઓ અને લગભગ 5,000 અસ્થાયી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. કંપનીનો દાવો છે કે, આ પ્રોજેક્ટ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા પછી શરૂ કરવામાં આવશે.
અનિલ અંબાણીએ પોતાનું દેવું ચૂકવવાનું શરૂ કરી દીધું
છેલ્લા કેટલાક વર્ષોમાં નાદારીમાંથી પસાર થયા પછી અનિલ અંબાણીએ પોતાનું દેવું ચૂકવવાનું શરૂ કરી દીધું છે. વર્ડે પાર્ટનર્સ નામના ફંડે તેમને મદદ કરી છે અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે 500 મિલિયન ડોલરની વધારાની ઇક્વિટીનું વચન આપ્યું છે. આ નવી શરૂઆત ફક્ત અનિલ અંબાણીના પુનરાગમનને જ નહીં, પરંતુ તે ભારતના ઉર્જા ક્ષેત્રમાં મોટા પરિવર્તનનો એક ભાગ પણ બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech