જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને ધ્રોલ તાલુકાના લતીપર ગામે આયુષ મેળાનું આયોજન કરાયું

  • March 12, 2025 06:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તા.૧૨ માર્ચ, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરના માર્ગદર્શન હેઠળ ધ્રોલ તાલુકાના લતીપર ગામે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.



જેમાં આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ, હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, યોગા નિદર્શન, સુવર્ણ પ્રાશન, પંચકર્મ માર્ગદર્શન, રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઔષધ વિતરણ, પ્રકૃતિ પરીક્ષણ, આયુર્વેદ પ્રદર્શનની, સ્વસ્થવૃત અંગેનું માર્ગદર્શન, વૃદ્ધાવસ્થા જન્ય રોગોની સારવાર, અમૃત પેય ઉકાળા વિતરણ, વન ઔષધી પ્રદર્શન અને ઔષધ રોપા વિતરણ જેવી સેવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી.


આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.આનંદ જયસ્વાલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ.સાથે જ લતીપર ગામના આંગણવાડીના કુપોષિત બાળકોને બાલ આયુષ કીટ તેમજ આશા વર્કર બહેનોને આશા કીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતુ.



ત્યારબાદ મહાનુભાવો દ્વારા આયુષ મેળામાં પ્રદર્શન માટે રાખવામાં આવેલ અલગ અલગ સ્ટોલની મુલાકાત લઈ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જામનગર દ્વારા કરવામાં આવેલ આયુષ મેળાના સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યાં હતા.



આ આયુષ મેળા અંતર્ગત લાભાર્થીઓને આયુર્વેદ નિદાન, હોમિયોપેથી નિદાન, ઉકાળા વિતરણ, યોગા પ્રદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, જરા ચિકિત્સા, પંચકર્મ/અગ્નિકર્મ તથા સ્વસ્થ વૃતની સેવાઓ પુરી પડાઈ હતી.


આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન  અધેરા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application