સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મમાં રણબીર કપૂર, વિકી કૌશલ અને આલિયા ભટ્ટ જોવા મળશે, અને આ ફિલ્મમાં આલિયાનો રોલ કેવો હશે તેને લઈને મોટી અપડેટ સામે આવી છે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. વર્ષ 2024ની શરૂઆતમાંસંજય લીલા ભણસાલીના ચાહકો માટે સારા સમાચાર આપ્યા હતા કે તેઓ એક ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું નામ 'લવ એન્ડ વોર' છે અને તેમાં ત્રણ મોટા સ્ટાર્સ જોવા મળવાના છે.
આ ફિલ્મમાં રણબીર કપૂર, વિકી કૌશલ અને આલિયા ભટ્ટ જોવા મળશે. જાહેરાત બાદ આ ફિલ્મ સાથે જોડાયેલી માહિતી સમયાંતરે બહાર આવતી રહે છે. ફેબ્રુઆરીમાં એવી માહિતી મળી હતી કે રણબીર ફિલ્મમાં ગ્રે પાત્ર ભજવવાનો છે. તે જ સમયે, જે લોકો આ ફિલ્મમાં આલિયાનો રોલ કેવો હશે તે જાણવાની રાહ જોઈ રહ્યા છે, હવે તેમના માટે મોટી અપડેટ સામે આવી છે.
રિપોર્ટ અનુસાર આલિયા આ ફિલ્મમાં સિંગરના રોલમાં જોવા મળશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે 'હાઈવે', 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' જેવી ફિલ્મો કર્યા બાદ તે આ રોલ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તેની કારકિર્દીનું સૌથી જટિલ પાત્ર હશે. 'લવ એન્ડ વોર' એક એવી ફિલ્મ બનવા જઈ રહી છે જેની વાર્તા પ્રેમ, વફાદારી અને બલિદાનની થીમ પર આધારિત હશે.
આ ફિલ્મની સ્ટોરી શું હશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ ફિલ્મની જાહેરાત બાદ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે લવ ટ્રાયંગલ પર આધારિત સ્ટોરી બતાવવામાં આવશે. અન્ય એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભણસાલીની આ ફિલ્મ 1964માં રિલીઝ થયેલી રાજ કપૂરની ફિલ્મ 'સંગમ'ની અનઓફિશિયલ રિમેક હશે.
આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર-ડિસેમ્બરમાં શરૂ થવાની ધારણા છે અને કહેવાય રહ્યું છે કે આ ફિલ્મ ક્રિસમસ 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.જાણીતું છે કે આ દિવસોમાં સંજય લીલા ભણસાલી પણ તેની પ્રથમ વેબ સિરીઝ 'હીરામંડી' માટે ચર્ચામાં છે. તેમની આ વેબ સિરીઝ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, સંજીદા શેખ, રિચા ચઢ્ઢા આ વેબ સિરીઝનો ભાગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના માજી રાજવી જામસાહેબના વચેટ બહેન રાજકુમારી મુકુંદ કુમારીનું યુ.કે.માં દુઃખદ નિધન
May 22, 2025 12:22 PMજામનગરના સ્વામી પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે આજ થી ૪૦ દિવસીય ચાલીસા મહોત્સવ નો પ્રારંભ
May 22, 2025 12:16 PMજન્મદિન નિમિતે રકતદાન કરતા પૂર્વ મંત્રી હકુભા જાડેજા
May 22, 2025 12:12 PMચેક રીટર્ન થતા લોકધારકને ૧ વર્ષની કેદ અને દંડનો હુકમ ફરમાવતી જામનગરની કોર્ટ
May 22, 2025 11:58 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech