વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બાદ ફેબ્રુઆરી મહિનાની ૧૦ મી તારીખે વડોદરા ખાતે આદિવાસી મહાસંમેલન માં હાજરી આપશે અને સંમેલનને સંબોધિત કરશે અત્રે નોંધવું જરી છે કે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આદિવાસી વિસ્તારમાં પ્રવેશે તે પહેલા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦મી ફેબ્રુઆરીએ વડોદરાના મહેમાન બની શકે છે. વડોદરા ખાતે આદિવાસી સમુદાયના મહાસંમેલનમાં પીએમ હાજરી આપશે આદિવાસી સમુદાયના ૨ લાખ જેટલા લોકોને સંબોધન કરશે.કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પ્રવેશે તે પહેલાં ભાજપનું મહાસંમેલન યોજીને વોટબેકનો માસ્ટર સ્ટ્રોક મારશે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્રારા તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. અને લોકસભાની તમામ ૨૬ બેઠકો ભાજપના કબજામાં છે. આ વખતે ભાજપે તમામ ૨૬ બેઠકો પાંચ લાખના માર્જિનથી જીતવા માટેનો નિર્ધાર કર્યેા છે. ત્યારે આદિવાસીઓ વિસ્તારો પર ભાજપે વધુ ધ્યાન કેન્દ્રિત કયુ છે. અને આગામી ૧૦મી ફેબ્રુઆરીએ વડોદરામાં આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આદિવાસી સંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે.
આગામી લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ દ્રારા તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. ભાજપ દ્રારા લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ સીટનો લયાંક પણ રાખવામાં આવ્યો છે. ત્યારે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ ફેબ્રુઆરીએ આદિવાસી સંમેલનને સંબોધન કરવા માટે આવી રહ્યા છે. તે વડોદરા શહેર ભાજપ દ્રારા તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. તેમજ સંમેલનની જગ્યાએ ભાજપના હોદ્દેદારોએ ગ્રાઉન્ડ નિરીક્ષણ કયુ હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેર ભાજપ દ્રારા ૧૦ ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ બેલ્ટનું આદિવાસીઓનું વિશાળ સંમેલન યોજવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. તે માટે વડોદરા શહેરની બાયપાસ નેશનલ હાઇવે અડીને આવેલી પાંજરાપોળની ૧૬૦ વિઘા જમીનમાં આદિવાસીઓનું વિશાળ સંમેલન યોજાશે. જેને લઈ તાજેતરમા સ્થળ નિરીક્ષણ કરવા માટે સાંસદ રંજન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, મેયર પિન્કીબહેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ધારાસભ્યો મનિષા વકીલ, કેયુર રોકડીયા, વડોદરા કોર્પેારેશનના સ્થાયી સમિતીના અધ્યક્ષ ડો. શિતલ મિક્રી, વડોદરા પાંજરા પોળની જગ્યાના મંત્રી રાજીવ શાહ સહિત પાલિકાના હોદ્દેદારો પહોંચ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ મોરચા સાથે બેઠક કરવાના છે. વડોદરામાં આદિવાસી સમાજની પશ્ચિમ વિસ્તારની સમગ્ર દેશની બેઠકનું આયોજન વિચારાઇ રહ્યું છે. ૫૦ હજાર લોકોને બહારથી લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર પકડાયા : એક ફરાર
April 19, 2025 01:50 PMહાલારની ૧પ૯ સસ્તા અનાજની દુકાનોને અલીગઢના તાળા
April 19, 2025 01:46 PMજામનગરમાં નામીચો બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો
April 19, 2025 01:44 PMજામનગરમા વક્ફ બિલ અને UCC નો વિરોધ કરી રહેલા મુસ્લિમ વકીલોની અટકાયત
April 19, 2025 01:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech