પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ટૂરિઝમ પોલિસી, હેરિટેજ ટૂરિઝમ પોલિસી તેમજ ગુજરાત હોમસ્ટે પોલિસી જેવી અનેક નવી પહેલને લીધે ગુજરાતે ઉત્તમ યજમાન તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. જિલ્લા સ્તરે પ્રવાસનને વેગ આપવા રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ ધાર્મિક કામોના વિકાસ માટે ર૧૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઉડ્ડયન ક્ષેત્રે દાહોદ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા ખાતેનાં હયાત એરપોર્ટનાં વિસ્તરણ માટે ૨૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુરત ઇકોનોમિક રીજીયન ખાતે હોટેલ અને બીચ રિસોર્ટ, પારસી સર્કીટ, ક્રુઝ ટુરિઝમ, બીચ હોટેલ્સ, થીમ પાર્ક, ઇકો-ટુરિઝમ એક્ટીવિટી માટે ૫૦ કરોડની જોગવાઇ.
નાના શહેરો અને આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે વીઆબિલિટી ગેપ ફંડિંગ યોજના હેઠળ ૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ભારત સરકારના ઉડે દેશ કા આમ નાગરીકના વિઝન અંતર્ગત રીઝનલ કનેક્ટિવિટી સ્કિમના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ૩૦ કરોડની જોગવાઇ. પ્રવાસન સ્થળોએ વિવિધ નવી સર્કિટ તથા વે સાઇડ પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા ૧૫ કરોડની જોગવાઇ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામા વિપક્ષનો હંગામો
May 19, 2025 02:34 PMજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech