ભાણવડમાં સરકાર સંચાલિત તાલુકા શાળા નંબર-૩ (ક્ધયા શાળા) માં ઇંગ્લીશ વિભાગના શિક્ષકોની ભરતી કરવાના મુદ્દે ચાલતા ઉપવાસ આંદોલનની પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, તેમજ પોરબંદર કોંગ્રેસના અગ્રણી સામતભાઇ ઓડેદરા સહિતના નેતાઓએ મુલાકાત લઇ જાણકારી મેળવી હતી અને ભાજપ સરકાર શિક્ષણ સહિતના મુદ્દે નિષ્ફળ નીવડી હોવાનો આરોપ લગાવ્યો હતો.
ભાણવડની ક્ધયા શાળામાં રાજ્ય સરકારે ઇંગ્લીશ મીડીયમ વિભાગમાં ચાલુ સત્રેજ શિક્ષકોને છૂટા કરી દેવાતા વાલીઓ અને ભૂલકાઓમાં રોષ જોવા મળી છે, ત્યારે આ બાબતથી રોષિત બનેલા વાલીમંડળે તાલુકા સેવાસેદન સામે જ છેલ્લા ત્રણેક દિવસથી ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરી નિવેડો ના આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે, વાલીમંડળે આ અંગેના આવેદનપત્રો જીલ્લા અને તાલુકાના વરિષ્ઠ અધિકારીઓને પાઠવી દીધા છે.
હાલમાં રાજ્ય સરકારના તઘલખી નિર્ણયથી સેંકડો ભૂલકાઓનું ભાવિ અંધકારમય બની ગયું છે, એક બાજુ ઇંગ્લીશ મીડીયમ વિભાગમાં કાયમી શિક્ષકોની ભરતી અનેક રજૂઆત પછી પણ સંતોષાતી નથી અને બીજી બાજુ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાતા ભૂલકાઓ કેમ અભ્યાસ કરશે એ સવાલ મહત્વનો બન્યો છે. ઉપવાસી છાવણીની મુલાકાતે આવેલા કોંગીના મહાનુભાવો, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, સામતભાઇ ઓડેદરા, ડો. મોહનભાઇ રાબડીયા, ગીરધર વાઘેલા, મુકેશ વાવણોટિયા, હિતેશ જોશી, અનવર કોટડીયા, ભરત વારોતરીયા સહિત હાજર રહી સૂર પૂરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech