શહેરના રાંધનપુરી બજારમાં આવેલા મોટા ફળીયાની એક કટલેરીની દુકાનમાં ગત સાંજના સુમારે વિકરાળ આગ ભભુકી ઉઠી હતી. આગજનીની ઘટનાના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડયા હતા. જયા આગજનીના પગલે આઠ ફાયર ફાયટર ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ ગીચ વિસ્તાર હોવાને લઈ ફાયરના વાહનને જવુ પણ મુશ્કેલ બન્યુ હતું. જો કે ફાયર સ્ટાફે ૭૦ હજાર લીટર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.
શહેરના રાંઘનપુરી બજારમાં આવેલા નાનભા શેરી, મોટા ફળીયામાં આવેલ જનતા કટલેરી નામની હોલસેલની દુકાનમાં આગ ભભુકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા દુર દુર સુધી જોવા મળ્યા હતા. જ્યારે આગજનીના બનાવને લઈ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. દરમિયાન સ્થાનિક જયેશભાઈ નામના સ્થાનિક વ્યક્તિએ અગ્નિશામક દળને જાણ કરતા એક પછી એક આઠ ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ સાકડી ગલી હોવાને લઈ ફાયર ફાયટરને જવુ પણ મુશ્કેલ બન્યુ હતું.વિકરાળ આગને લઈ દુર દુર સુધી આગની જવાળા જોવા મળી રહી હતી. જ્યારે આકાશ ધુમાડાના ગોટાથી ઠંકાયુ હતું. આગને લઈ કટલેરની દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો. સાકડી ગલીને લઈ આગને કાબુમાં લેવામાં અગ્નિશામક દળને પણ મુશ્કેલી પડી હતી. સમી સાંજના લાગેલી આગ પર મોડી રાત્રીના કાબુ મેળવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીર શહીદોના સન્માનમાં જોડિયામાં તિરંગાયાત્રા
May 19, 2025 10:44 AMવેસ્ટ ટુ એનર્જી કંપની બંધ થતાં જામ્યુકોને નુકશાન
May 19, 2025 10:41 AMજામનગરમાં છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની નોટીસ બાદ દબાણો દૂર થતાં રાહત
May 19, 2025 10:38 AMહાપા રેલ્વે સ્ટેશન: જામનગરના ઔદ્યોગિક કોરિડોરનું આધુનિક પ્રવેશદ્વાર
May 19, 2025 10:37 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech