મહિલાને વધુ સારવાર અર્થે જામનગર ખસેડાઈ હતી
ખંભાળિયામાં આવેલી તાલુકા પંચાયત કચેરીની પાછળના ભાગે રહેતા કાજલબેન કાનજીભાઈ રાઠોડ નામના 30 વર્ષના સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા તેણીને ગત તા. 7 ડિસેમ્બરના રોજ અત્રે જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી હિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની સિઝેરિયન મારફતે ડિલિવરી કરાઈ હતી. પ્રસુતિ બાદ તેણીને લેવામાં આવેલા ટાંકામાં રસી થઈ જતા પુનઃ હિત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અહીં પણ પુનઃ તેણીની સાત દિવસ સારવાર કરવામાં આવી હતી.
આ પછી ઉપરોક્ત મહિલાની હાલત બગડતા વધુ સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીની ચાલી રહેલી સારવાર વચ્ચે ગઈકાલે મંગળવારે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ કાનજીભાઈ બટુકભાઈ રાઠોડએ અહીંની પોલીસને કરી છે. જે સંદર્ભે આગળની તપાસ પી.એસ.આઈ. એમ.એચ. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech