હરિદ્વાર જઈને રંઘોળા પરત આવેલા આધેડ કોરોનાથી સંક્રમિત થયા છે.કોરોનાગ્રસ્ત આધેડની સ્થિતિ સામાન્ય હોવાનું જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાંથી જાણવા મળ્યુ છે.જિલ્લામાં કોરોનાના અગાઉના બન્ને દર્દી રીકવર થયા ત્યાં નવો કેસ નોંધાયો છે.
તાજેતરમાં હરિદ્વાર જઈને રંઘોળા પરત આવેલા ૫૫ વર્ષના આધેડ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમને શરદી ઉધરસની તકલીફ હોવાથી તેમનો ટેસ્ટ કરવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડયુ હતુ.તેઓ હોમ આઇસોલેટેડ છે.જ્યાં કોરોનાગ્રસ્ત આધેડની સ્થિતિ સામાન્ય હોવાનું જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાંથી જાણવા મળ્યુ છે.
ભાવનગરમાં કોરોનાનું પુનરાગમન થવા સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના બે કેસ નોંધાયા હતા. બન્ને દર્દી રીકવર થયા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે. ત્યાં જિલ્લામાં એક નવો કેસ નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ દિવસ અગાઉ કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ભાવનગરના વિજયરાજનગરમાં રહેતા એક પર વર્ષિય આધેડને લક્ષણો જણાતા તેણે ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા હતા અને તેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ થયાં હોવાની મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.
તદઉપરાંત, સિહોર પંથકના એક ૩૭ વર્ષિય સગર્ભા મહિલાને લક્ષણો જણાતા રિપોર્ટ કરાયો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાને સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે હવે બન્ને કોરોના પોઝિટિવ દર્દી રીકવર થયા છે અનેહોસ્પિટલમાં દાખલ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે. સદનસીબે શહેર-જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. વિશ્વના કેટલાક દેશોમાં તાજેતરમાં કોરોનાનું સંક્રમણ ફરીવાર વકર્યું છે અને રાજ્યમાં પણ કોરોનાએ દેખા દીધી છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડ પર છે. કર્મચારીઓને ફિલ્ડમાં સર્વે દરમિયાન ધ્યાન રાખવા અને કોરોના જેવા લક્ષણો જણાય તો ટેસ્ટ કરવા આરોગ્ય તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તેમ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં અધિકારી-ઇન્સ્પેકટર રાજ...! કરદાતાઓને જી.એસ.ટી. રીફંડમાં પગે પાણી
June 05, 2025 11:32 AMઅનુરાગની મેટ્રો ઇન દિનોમાં કંડારાયો બદલાતી પ્રેમકથાઓનો શણગાર
June 05, 2025 11:28 AMઅમિતાભ સાથે સમય વિતાવવા મળે તે માટે રેખાએ ફિલ્મ છોડી, સાઇનિંગ રકમ પછી દીધી
June 05, 2025 11:27 AMસ્પેનિશ ફિલ્મ 'ચેમ્પિયન્સ'ની રિમેક માટે આમિરે ટ્રોલિંગ સહેવું પડ્યું
June 05, 2025 11:24 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech