મંગળવારની રાતે મહાકુંભના સંગમ ઘાટ પર થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 60 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં એક મહેસાણાના શ્રદ્ધાળુનું દુઃખદ અવસાન થયું છે. મૃતક મહેશભાઈ સોમાભાઈ પટેલ મૂળ વિસનગર તાલુકાના કડા ગામના વતની હતા અને હાલમાં સુરતમાં સ્થાયી થયા હતા. મહેશભાઈના મૃતદેહને ઓન રોડ એમ્બ્યુલન્સમાં વતન કડા ગામે લવાઇ રહ્યો અને 24 કલાક બાદ વતન પહોંચે તેવી શક્યતા છે.
મહાકુંભમાં અમૃત સ્નાન કરવા ગયા હતા
વિસનગર તાલુકાના કડા ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે રહેતા 65 વર્ષીય મહેશભાઈ તેમના સમાજના લોકો સાથે મહાકુંભમાં અમૃત સ્નાન કરવા ગયા હતા. ભાગદોડમાં ઘણા લોકોનાં મોત થયાં હોય મહેશભાઈનું મૃત્યુ આ ભાગદોડમાં થયું હોવાની વાત જાહેર થઈ હતી. જો કે, પરિચિતોના કહેવા મુજબ, એટેક આવવાથી મૃત્યુ થયું હતું. વહીવટી તંત્રના સૂત્રોએ તેમના સંબંધી પાસેથી મળેલી જાણકારી પ્રમાણે તેમને એટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર કડા ગામમાં શોક વ્યાપી ગયો
મહેશભાઈના મોતથી સમગ્ર કડા ગામમાં શોક વ્યાપી ગયો છે. પરિવારે મહેશભાઈના અંતિમસંસ્કાર કડા ખાતે વતનમાં કરવાનું નક્કી કર્યું છે. મહેશભાઈ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા લ હતા. પરિચિતના જણાવ્યા અનુસાર મહેશભાઇનું મૂળ નામ મૂળજીભાઈ હતું. તેઓ મહેશભાઇના હુલામણા નામથી ઓળખીતા હતા. આખા ગામમાં તેમને બધા મૂળજીભાઇના નામથી ઓળખે છે. તેમનો જન્મ કડામાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કડા ખાતે લીધા બાદ વિસનગરમાં કોલેજનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ મુંબઇ ખાતે મફતલાલ ગૃપમાં નોકરી કરવા ગયા હતા. જ્યાંથી તેઓને બેંગ્લોર મોકલ્યા અને ત્યાંથી પાછા મુંબઇ અને ત્યારબાદ સુરત ખાતે ફરજ માટે મોકલ્યા હતા.
15 વર્ષથી મહેશભાઈ સુરતમાં પત્ની સાથે રહેતા
વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા 15 વર્ષથી તેઓ સુરતમાં પત્ની સાથે રહેતા હતા. મહેશભાઇના પરિવારમાં એક દીકરો અને દીકરી છે. મહેશભાઇને બે ભાઇઓ છે અને તેમની પૈતૃક જમીન પણ ગામમાં છે. મહેશભાઇ તેમના સાળા સાથે સુરતથી પ્રયાગરાજ ખાતે ગયા હતા. એક ગ્રામજને જણાવ્યું હતું કે, કડા ગામમાં પટેલ પરિવારના 60 ઘર છે. મહેશભાઈના મૃત્યુની જાણ થતાં ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech