શિવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા યોજાયો ભવ્ય સેવા કેમ્પ
સ્વ.કિશોરભાઈ રાઠોડ (કિશોર ટ્રેડર્સ) ના સ્મરણાર્થે તા.૧૩-૪-૨૦૨૪ ના રોજ શહેરના વોર્ડ નં.૧૦ વિસ્તારમાં નાગનાથ ગેઈટ મેઈન રોડ પર દર વર્ષની જેમ આ વખતે જામનગરથી માટેલ જતા પદયાત્રીઓ માટે ફુટ-જયુસનો સેવા કેમ્પ રાખેલ હતો. જેમાં ૧૫૦૦ થી વધુ લોકોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. સાથોસાથ પદયાત્રીકો દ્વારા ચૈત્રી નવરાત્રીના પાવન પર્વે માટેલ મંદિર લઈ જવાતી ધ્વજાજીનું પુજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૩૦ થી વધુ વર્ષથી સેવા આપતું "જોગવડ ગ્રુપ" ના પ્રમુખ તથા કારોબારીશ્રી ભરતભાઈ ભટ્ટી તથા ધીરેનભાઈ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શહેરના ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર કિષ્નાબેન સોઢા, જામનગર લોહાણા સમાજ પ્રમુખ તેમજ જામનગર ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ લાલ, નિવૃત મામલતદારશ્રી રાચ્છ સાહેબ, વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટર શ્રી પાર્થ જેઠવા, મુકેશભાઈ માતંગ, પૂર્વ કોર્પોરેટર આકાશ બારડ, નટુભાઈ રાઠોડ, અરવિંદભાઈ ચૌહાણ, જાણીતા મોબાઈલ વિક્રેતા રાજુભાઈ ગોહીલ (આર.કે.), વોર્ડ નં.૧૦ ભાજપના પ્રમુખ રાજુભાઈ નાનાણી, મહામંત્રી દિનેશ ચૌહાણ, ભંદ્રેશભાઈ ચંદારાણા, નિતિનભાઈ માડમ, ખવાસ જ્ઞાતિના ઉપપ્રમુખ પંકજભાઈ સોઢા, મંત્રી દિનેશભાઈ સોઢા, અનીષભાઈ સોઢા (ઉપપ્રમુખ) દેશળદેવ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ (નવાગામ ઘેડ) ના ટ્રસ્ટીઓ પરેશભાઈ ચાવડા, મનોજભાઈ મકવાણા (વકિલશ્રી), સરકારી જિલ્લા પુસ્તકાલયના ગ્રંથપાલ રાહુલભાઈ રાઠોડ, કાશીવિશ્વનાથ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ જયસુખભાઈ ચાવડા, અશ્વીનભાઈ રાઠોડ, ખવાસ સમાજના આગેવાન ગોવિંદભાઈ સોઢા, ધીરૂભાઈ સોઢા, ગીરીશભાઈ સોઢા તેમજ જોગવડ ગ્રુપના સભ્યો, કાશી વિશ્વનાથ ગૃપના સભ્યો, ગુજરાત તકના પત્રકાર શ્રી દર્શનભાઈ ઠકકર, તેમજ ખીમામામા મિત્ર મંડળ તથા ખીમામામા મહિલા મંડળ, ચારણ ફળી મિત્ર મંડળ, શકિત ચામુંડા ધુન મંડળ વગેરે મંડળો ઉપસ્થિત રહયા હતા. સાથો સાથ પદયાત્રીઓ તેમજ ધર્મપ્રેમી જનતાએ આ કાર્યક્રમનો લાભ લીધેલ હતો. ઉપરોકત તમામ મહેમાનોનું જયમાતાજીના નાદ સાથે ખેંસથી સ્વાગત કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા શિવ એજયુ. ચેરી. ટ્રસ્ટના પ્રમુખ અને ભાજપ શહેર મંત્રી (બક્ષી પંચ મોરચો) ના મંત્રી એવા સાગર કિશોરભાઈ રાઠોડ, ટ્રસ્ટી અંકિતાબેન રાઠોડ, અમીતભાઈ વારા, રશ્મિબેન રાઠોડ, રમાબેન કે. રાઠોડ, કિશોર ટ્રેડર્સ ગૃપ ના સભ્યો તથા વડીલશ્રી મુળજીભાઈ રાઠોડ તથા દિલીપભાઈ રાઠોડ ધ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. સ્ટેજ સંચાલન આશીષભાઈ ભટ્ટી ધ્વારા કરવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech