ઓક્ટોબરથી શેરબજારનો ટ્રેન્ડ વધુ ખરાબ બન્યો
શેરબજારમાં થયેલા નુકસાનનો આ આંકડો ફેબ્રુઆરીમાં સૌથી વધુ ૪૦.૮૦ લાખ કરોડ રૂપિયા હતો. ૩૧ જાન્યુઆરીના રોજ બીએસઈનું માર્કેટ કેપ ૪,૨૪,૦૨,૦૯૧.૫૪ લાખ કરોડ રૂપિયા હતું, પરંતુ ૨૮ ફેબ્રુઆરીના રોજ ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં તેને ૩,૮૪,૦૧,૪૧૧.૮૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. શેરબજારમાં ઘટાડાનો આ સમયગાળો ઓક્ટોબરથી શરૂ થયો હતો, જ્યારે રોકાણકારોએ 29.63 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. ફક્ત નવેમ્બર મહિનામાં જ રોકાણકારોએ ૧.૯૭ લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. ડિસેમ્બરમાં ૪.૭૩ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને જાન્યુઆરીમાં આ આંકડો વધીને ૧૭.૯૩ લાખ કરોડ રૂપિયા થઈ ગયો.
વિદેશી રોકાણકારોએ મો ફેરવ્યું, એ ઘટાડાનું મુખ્ય કારણ
શેરબજારના ઘટાડા પાછળ ઘણા કારણો છે. આનું સૌથી મોટું કારણ વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવતું વેચાણ છે. ઓક્ટોબરથી એફપીઆઈએ સતત રૂ. 2.13 લાખ કરોડના શેર વેચ્યા છે. આ સાથે, ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણયની પણ બજાર પર અસર પડી છે. આ પાછળ એશિયન બજારમાં આવેલા ઘટાડાને પણ અવગણી શકાય નહીં. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૩ ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ૨.૭ ટકા અને હોંગકોંગનો હેંગ સેંગ ૧.૫ ટકા ઘટ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech