મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં રહેજા બિલ્ડિંગ પાસે ખડકપાડા ફર્નીચર માર્કેટમાં આજે ભીષણ આગ લાગી હતી. આ આગમાં 50 ગોડાઉન બળીને ખાખ થઈ ગયા છે. આગ સવારે લાગી હતી. આ ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આગમાં કોઈ જાનહાનિ થઈ નથી
કરોડોના નુકસાનનો અંદાજ
એક અધિકારીએ જણાવ્યું કે, આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માતની તપાસ કરવામાં આવશે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે જાણી જોઈને લાગી તે અંગે તપાસ ચાલી રહી છે. આગના કારણે થયેલા નુકસાનનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક વેપારીઓના મતે કરોડોનું નુકસાન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુળ દ્રારકા બંદરે ચાલુ કટિંગે ૮ લાખનો દારૂ પકડાયા મામલે પોલીસે બોટને કેમ જવા દીધી ?
June 05, 2025 11:02 AMઓપરેશન સિંદૂર દરમિયાન પાક.ના પરમાણુ બોમ્બ કમાન્ડ સેન્ટરને ભારે નુકસાન થયું હતું
June 05, 2025 10:57 AMઝૂમ મીટિંગમાં અપમાનિત થયેલા યુવકે ઓફીસના ટોક્સિક કલ્ચરનો પર્દાફાશ કર્યો
June 05, 2025 10:49 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech