છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે પોલીસે મોટી સફળતા મેળવી છે જ્યાં 50 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાં ઘણા એવા માઓવાદીઓનો સમાવેશ થાય છે જેમના પર કુલ 68 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. આ શરણાગતિ બીજાપુરના પોલીસ અધિક્ષક ડૉ. જીતેન્દ્ર યાદવ સમક્ષ કરવામાં આવી હતી.
આ વર્ષે પહેલી વાર, એકસાથે 50 નક્સલીઓના આત્મસમર્પણથી નક્સલી સંગઠનને મોટો ફટકો પડ્યો છે. સરકાર 31 માર્ચ, 2026 સુધીમાં રાજ્યમાંથી નક્સલવાદીઓને ખતમ કરવાની સમયમર્યાદા તરફ ઝડપથી કામ કરી રહી છે. રાજ્યમાં લોન વરરાટુ અભિયાન અને નક્સલ પુનર્વસન નીતિ હેઠળ, નક્સલવાદીઓને ઘરે પાછા ફરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
ટૂંક સમયમાં મીડિયાને માહિતી આપવામાં આવશે
પોલીસ અધિક્ષક ડૉ. જિતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આ એક મોટી સિદ્ધિ છે અને ટૂંક સમયમાં મીડિયાને વિગતવાર માહિતી આપવામાં આવશે. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં કેટલાક મુખ્ય કમાન્ડરો પણ શામેલ હતા જે લાંબા સમયથી સક્રિય હતા.
સરકારની પુનર્વસન નીતિની અસર
આ સામૂહિક શરણાગતિ સરકારની પુનર્વસન નીતિ અને સુરક્ષા દળોના સતત અભિયાનનું પરિણામ હોવાનું માનવામાં આવે છે. પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં શાંતિ અને વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સંદર્ભે પોલીસ વહીવટીતંત્ર દ્વારા ટૂંક સમયમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે, જેમાં આત્મસમર્પણ કરનારા નક્સલીઓ અને તેમની ભવિષ્યની યોજનાઓ વિશે વિગતો આપ
વામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech