વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના 123 માછીમારો જે હાલમાં પાકિસ્તાનની કસ્ટડીમાં છે, તેમાંથી 33 2021માં, 68 માછીમારો 2022માં, 9 માછીમારો 2023માં અને 13 માછીમારો 2024માં પકડાયા હતા.મંત્રીના નિવેદન મુજબ, ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ એકબીજાની જેલમાં બંધ દરેક દેશના માછીમારો અને નાગરિક કેદીઓની યાદીઓનું આદાનપ્રદાન કરે છે. 1 જાન્યુઆરી, 2025ના રોજ આપેલી યાદી અનુસાર, પાકિસ્તાને 217 ભારતીય માછીમારોની કસ્ટડી સ્વીકારી હતી. આ યાદીઓના આદાનપ્રદાન પછી 1 ભારતીય માછીમારનું મૃત્યુ થયું અને 22 ભારતીય માછીમારોને મુક્ત કરીને ભારત પરત મોકલવામાં આવ્યા.
મંત્રીએ તેમના જવાબમાં વધુમાં ઉમેર્યું હતું કે પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોની ધરપકડના કિસ્સાઓ નોંધાતાની સાથે જ ઇસ્લામાબાદમાં ભારતીય મિશન દ્વારા પાકિસ્તાન સરકાર પાસેથી કોન્સ્યુલર એક્સેસ મેળવવા અને તેમની વહેલી મુક્તિ અને સ્વદેશ પરત મોકલવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. ભારતીય માછીમારોને કાનૂની સહાય સહિત તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગરમી બાદ વરસાદ! જસદણ, ગોંડલ અને અમરેલીમાં વાતાવરણ પલટાયું, ખેડૂતો પરેશાન
May 20, 2025 08:32 PMEPFOના નવા અપડેટ્સ! PF ખાતું હવે સુપરફાસ્ટ, પૈસા ટ્રાન્સફરથી લઈને ક્લેમ સુધી બધું સરળ
May 20, 2025 07:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech