યુપીના પ્રયાગરાજમાં ગત મોડીરાત્રે લગભગ 2.30 વાગ્યે બોલેરો એક બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા અને 19 ઘાયલ થયા હતા. જીવ ગુમાવનારા તમામ લોકો બોલેરો કારમાં સવાર હતા. તેઓ છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી મહાકુંભમાં જઈ રહ્યા હતા. આ અકસ્માત પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઈવે પર મેજા વિસ્તારમાં થયો હતો.
બધા મૃતકો બોલેરોમાં મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે બસના મુસાફરો ઘાયલ થયા હતા. બસ પ્રયાગરાજથી મધ્યપ્રદેશ જઈ રહી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોનો આગળનો ભાગ તૂટી ગયો. ભક્તો રસ્તા પર ફેંકાઇ ગયા. કોઈનો હાથ ભાંગી ગયો હતો તો કોઈનું માથું ફાટી ગયું હતું. ઘણા લોકો બોલેરોમાં ફસાઈ ગયા. બોલેરોમાંથી મૃતદેહો કાઢવામાં અઢી કલાક લાગ્યા હતા.
કમિશનર તરુણ ગાબા અને ડીએમ રવિન્દ્ર કુમાર મંધડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. એસપી યમુનાપર વિવેક યાદવે જણાવ્યું હતું કે, બોલેરોમાં સવાર બધા મુસાફરો પુરુષો હતા. બોલેરોની ગતિ ખૂબ જ વધારે હતી. બસના ડ્રાઈવરે બ્રેક લગાવી, પણ બોલેરો ટ્રક સાથે સામસામે અથડાઈ ગઈ. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. ઘાયલોને રામનગર સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે.
કારને ગેસ કટર વડે કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
નજરે જોનારે કહ્યું- ટક્કરનો અવાજ સાંભળીને અમે દોડીને ત્યાં પહોંચ્યા. જોયું તો બોલેરો સવારોના મૃતદેહ ખરાબ રીતે ફસાયેલા હતા. અમે તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ મૃતદેહો ખરાબ રીતે ફસાયેલા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ગેસ કટર અને એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.
કારને ગેસ કટરથી કાપવામાં આવી હતી. ત્યારબાદ જ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘણા મૃતદેહોને ખરાબ રીતે નુકસાન થયું હતું. પોલીસે બેગમાંથી મળેલા આધાર કાર્ડ પરથી બે મૃતદેહોની ઓળખ કરી હતી, ઈશ્વરી પ્રસાદ જયસ્વાલ અને સોમનાથ દરી તરીકે તેમની ઓળખ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech