જમ્મુ-કાશ્મીરના રામબન ખાતે વાદળ ફાટવાની દુર્ઘટનામાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના કેટલાક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર મળતાં જ રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી.
ગુજરાત પોલીસે તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરીને ફસાયેલા પ્રવાસીઓની માહિતી મેળવી હતી. જેના પરિણામે એ જાણી શકાયું છે કે તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે. એટલું જ નહીં પ્રવાસીઓ માટે જમવા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.
ગુજરાત પોલીસ સેન્ટ્રલ આઈ.બી. સહિત જમ્મુ-કાશ્મીરના સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે, જેથી પ્રવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. ગુજરાત સરકાર અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સંકલન સાધીને ગુજરાતના પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PM5 વર્ષમાં 1500%થી વધુ વળતર, આ મલ્ટિબેગર સ્ટોકે બનાવી દીધા લખપતિ, જાણો હવે ક્યાં પહોંચી કિંમત
April 20, 2025 11:47 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech