ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈકને લઈ રાજકોટ, જામનગર અને ભુજ એરપોર્ટના 7, 8 અને 9 મે એમ ત્રણ દિવસ કોમર્શિયલ ઓપરેશન સ્થગિત કરવામાં આવ્યું છે. એટલે કે, સિવિલયન્સ માટે ત્રણેય એરપોર્ટ ત્રણ દિવસ બંધ રહેશે. આ ત્રણેય એરપોર્ટને એરફોર્સ અને ઇમરજન્સી સેવાઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. ત્રણેય એરપોર્ટ પર એરફોર્સ અને ઇમરજન્સી સેવાઓ માટે 24 કલાક ચાલુ રહેશે.
રાજકોટથી જતી તમામ ફ્લાઈટ રદ
રાજકોટથી સવારે 8.40 વાગ્યે મુંબઈ માટે ઉપરથી એર ઇન્ડિયાની ફ્લાઈટ તેમજ 9 વાગ્યે મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ડિગોની 10.15 વાગ્યે ઉપાડતી પુણે, 12.25 વાગ્યાની મુંબઈ, 1.15 વાગ્યાની હૈદરાબાદ, બપોરે 2 વાગ્યાની પુણે, 3.55 વાગ્યાની બેંગલોર અને સાંજે 5.50 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે. આ સાથે જ સાંજે 6.05 વાગ્યાની એર ઇન્ડિયાની મુંબઈ અને 6.20 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે. જ્યારે રાત્રે 8.30 વાગ્યાની એર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઇટ કેન્સલ થઈ છે.
શ્રીનગર સહિત ૧૧ એરપોર્ટ પર કામગીરી બંધ કરી
ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનના બહાવલપુર, મુરીદકે, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદ પર કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ, આજે બપોર સુધી જોધપુર, જમ્મુ, શ્રીનગર, લેહ, ભૂજ, જામનગર અને રાજકોટ સહિત ચંદીગઢ અને અમૃતસરમાં હવાઈ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. શ્રીનગર સહિત ૧૧ એરપોર્ટ પર કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
શારજાહથી અમૃતસર જતી સ્પાઇસજેટની ફ્લાઇટ પણ રદ કરવામાં આવી
શારજાહથી અમૃતસર જતી સ્પાઇસજેટની ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે. પુણે, મુંબઈ અને દિલ્હીથી અમૃતસર આવતી બધી ફ્લાઇટ્સ રાત્રે 12 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે જમ્મુ, શ્રીનગર, લેહ સહિત 9 એરપોર્ટની બધી ફ્લાઇટ્સ આજે બપોરે 12 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે. તે જ સમયે, ઇન્ડિગો સહિત અન્ય એરલાઇન્સે એક સલાહકાર જારી કરીને કહ્યું છે કે બધા મુસાફરોએ એરપોર્ટ જતા પહેલા એરલાઇનનો સંપર્ક કરવો જોઈએ અને તેમની ફ્લાઇટની સ્થિતિની પુષ્ટિ કરવી જોઈએ. અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. લશ્કરી કાર્યવાહીના પરિણામે, ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર ટાળવા માટે તેમના રૂટ બદલી નાખ્યા છે.
અમૃતસર જતી એર ઇન્ડિયાની બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ દિલ્હી ડાયવર્ટ
અમૃતસર જતી બે એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, બિકાનેર અને ધર્મશાલા જતી અને જતી ફ્લાઇટ્સ આ ક્ષેત્રમાં બદલાતી હવાઇ સ્થિતિને કારણે પ્રભાવિત થઈ છે. ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવારે મોડી રાત્રે અને બુધવારે વહેલી સવારે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું, જેનો હેતુ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી માળખાને નષ્ટ કરવાનો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech