રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે

  • May 07, 2025 07:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને નિવૃત્તિની જાણકારી આપી. ટી-20માંથી પહેલાં જ નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત વનડે રમવાનું ચાલુ રાખશે. બુધવારે સાંજે રિપોર્ટ્સ આવ્યા હતા કે તેમને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ કેપ્ટનશીપથી હટાવવામાં આવશે. જેના બાદ તેમણે રેડ બોલ ક્રિકેટને અલવિદા કહી દીધું.


​​​​​​​


રોહિતે કહ્યું- સપોર્ટ માટે આભાર
રોહિત શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરી શેર કરતા લખ્યું, 'હેલો, હું બધાને જણાવવા માંગુ છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. રેડ બોલ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની ક્ષણ રહી. પ્રેમ અને સપોર્ટ માટે બધાનો આભાર. હું વનડે ફોર્મેટમાં દેશ માટે રમતો રહીશ.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application