રાજપીપળાથી એન.આર. જોશીની જામનગર નિમણુંક : હાઇકોર્ટ દ્વારા ડીસ્ટ્રીક જજ કેડરમાં ૩૧ બદલીના હુકમો
હાઇકોર્ટ દ્વારા ડીસ્ટ્રીક જજ કેડરમાં ૩૧ જજની બદલીના હુકમો કરવામાં આવ્યા છે, જેમાં જામનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજને પાલનપુર ખાતે જયારે રાજપીપળાના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજને જામનગરમાં નિમણુંક આપવામાં આવી છે.
હાઇકોર્ટ દ્વારા ડીસ્ટ્રીક જજના બદલીના હુકમો કરવામાં આવ્યા છે, કુલ ૩૧ ડીસ્ટ્રીક જજ કેડરમાં આદેશ કરવામાં આવ્યા છે, જેમાં જામનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ એસ.કે. બક્ષીને પાલનપુરના બનાસકાંઠાના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ તરીકે મુકવામાં આવ્યા છે, જયારે રાજપીપળાના નર્મદા ખાતેના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ એન્ડ સેસન્સ જજ એન.આર. જોશીને જામનગર પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ તરીકે મુકાયા છે. ઉપરાંત રાજકોટના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ આર.ટી. વરછાણીની સુરત ખાતે બદલી કરાઇ છે, અને રાજકોટમાં આણંદથી વિક્રમસિંહ બળવંતસિંહ ગોહિલની પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PM૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech