જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ગત ઓક્ટોબર ૨૦૨૦ માં એક મહિલા નું બળજબરી થી અપહરણ કરી લઇ જઇ તેના ઉપર દુષ્કર્મ ગુજારવા ના કેસ માં અદાલતે બે આરોપીઓને આજીવન કેદ ની સજા ફટકારી છે.
ધ્રોલ પંથકમાં ખેત મજુરી કામ કરતા એક દંપતિ ગત તારીખ ૧૬ ઓક્ટોબર ૨૦૨૦ ના બપોરે હનુમાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં કાદર ઉર્ફે ઓઢીયો જુમાભાઇ જુણેજા, અને અજુરુદ્દીન ઉર્ફે અજુડો સીદીકભાઈ જુણેજા નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા. અને અહીં શું કરો છો ? તેમ કહી છરી બતાવીને મહિલા ને પોતાના સ્કૂટર માં બળજબરીથી લઈ ગયા હતા. અને થોડા દૂર બાવળની જાળીમાં તેણી ઉપર બંને એ દુષ્કર્મ આચાર્યું હતું .
આ બનાવ બાબતે જે તે સમયે પોલીસ માં ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
આ અંગે નો કેસ ચાલી જતાં એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ નાં ન્યાયાધીશ એ બી ભટ્ટ એ આરોપી કાદર જુમાભાઈ જુણેજા અને અઝરૂદીન સિદિકભાઇ જુણેજા ને અજીવન કેદ ની સજા ફટકારી હતી. તેમજ રૂ.૨૦ હજાર નો દંડ તેમજ ભોગ બનનાર ને પાંચ લાખ વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો.
આ કેસ માં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાટીયાના રણજીતપુર ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન કથાનો પ્રારંભ
April 22, 2025 01:14 PMજામનગર શહેર-જિલ્લા કોંગીને ખરેખર મજબૂત સુકાની મળી શકશે...?
April 22, 2025 01:11 PMજામનગર: દરેડ ખાતે PGVCL સ્ટોરમાં પડેલા ભંગારના વજનમાં ગોટાળા કરી લાખોનું કૌભાંડ
April 22, 2025 12:58 PMબંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે સન્માન સભા યોજાઈ
April 22, 2025 12:33 PMઇટ્રા ખાતે મૂત્રમાર્ગને લગતી સમસ્યા માટે વિનામૂલ્યે નિદાન સારવાર
April 22, 2025 12:27 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech