ગુરુદ્વારા બાદ ખાલીસ્તાની સમર્થકોએ કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલો કર્યો, કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સે 'હિન્દુફોબિયા' પર ચિંતા વ્યક્ત કરી

  • April 21, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાઓનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાય રહ્યા નથી. ખાલિસ્તાન સમર્થકોએ બ્રિટિશ કોલંબિયામાં લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવ્યું છે. સીએચસીસી (કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ)એ એક વીડિયો શેર કર્યો છે અને આ હુમલાની સખત નિંદા કરી છે અને કેનેડામાં 'હિન્દુફોબિયા' પર ચિંતા વ્યક્ત કરી છે.


કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સે બ્રિટિશ કોલંબિયામાં લક્ષ્મી નારાયણ મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. સંગઠને તેને ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ તોડફોડ ગણાવી છે અને તેને 'હેઝ હિન્દુફોબિયા'નું ઘૃણાસ્પદ ઉદાહરણ ગણાવ્યું છે.


કેનેડામાં આવા ઘૃણાસ્પદ કૃત્યોનું કોઈ સ્થાન નથી તેવું સીએચસીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે કેનેડાની તમામ સરકારો પાસેથી તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ કરી છે અને તમામ કેનેડિયન નાગરિકોને નફરત સામે એક થવા અપીલ કરી છે.


બીજી તરફ, કેનેડાના વાનકુવરમાં રોસ સ્ટ્રીટ ગુરુદ્વારાને પણ ખાલિસ્તાન સમર્થકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. સમર્થકોએ અહીં ખાલિસ્તાની સૂત્રો લખ્યા હતા. આ ઘટના બાદ શીખ સમુદાયમાં ગુસ્સો છે અને આ માટે શીખ અલગતાવાદીઓના એક નાના જૂથને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.

વાનકુવર મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે ગુરુદ્વારામાં થયેલી તોડફોડની ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. વાનકુવર પોલીસ વિભાગના પ્રવક્તા સાર્જન્ટ સ્ટીવ એડિસને જણાવ્યું હતું કે, પોલીસ ગુરુદ્વારા પર લખેલા સૂત્રની તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News