હિટવેવ વચ્ચે રાજકોટ મહાપાલિકાની જાદૂગરી, સમગ્ર શહેરમાં ૧૧૭૯ લોકો જ બિમાર, ટાઈફોઈડ-કમળાનો ફક્ત એક-એક કેસ જાહેર કર્યો

  • April 21, 2025 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા તંત્રની આરોગ્ય શાખા રોગચાળાના આંકડા ઘટાડીને જાતે જ પોતાની પીઠ થાબડવાની પ્રવૃત્તિ કરી રહી છે, શહેરમાં હિટવેવ વચ્ચે સતત ચોથા સપ્તાહમાં રોગચાળો ઘટ્યો હોવાનું વિકલી એપેડમિક રિપોર્ટમાં જાહેર કરાયું છે. ૨૫ લાખની વસ્તીના રાજકોટ શહેરમાં સાત દિવસમાં વિવિધ રોગચાળાના કુલ ફક્ત ૧૧૭૯ કેસ મળ્યા હોવાનું જાહેર કર્યું છે.


તાવના ૫૬૭, શરદી ઉધરસના ૪૩૮, ઝાડા ઉલ્ટીના ૧૭૨ કેસ

મ્યુનિ.આરોગ્ય અધિકારીએ આજે જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટમાં તાવના ૫૬૭, શરદી ઉધરસના ૪૩૮, ઝાડા ઉલ્ટીના ૧૭૨, ટાઈફોઈડનો એક, કમળાનો એક સહિત કુલ ૧૧૭૯ કેસ જાહેર કર્યા હતા. બીજી બાજુ ખાનગી તબીબી વર્તુળોએ જણાવ્યું હતું કે હાલ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી વિગેરેના અનેક કેસ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય શાખાએ સતત ચોથા સપ્તાહમાં રોગચાળાના આંક ઘટાડયા છે જેથી વાસ્તવિક સ્થિતિ સામે આવતી નથી તે હકીકત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application