જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં રાત્રિના ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી, કંપની, મહાનગરપાલીકા, ડીસીસી સહિતના ફાયર ફાઇટરો દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગને ઠારી હતી. આગે મોટું સ્વપ ધારણ કરી લેતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને દુર દુર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા દરમ્યાનમાં ફાયર ફાઇટરો દ્રારા ભારે જહેમત ઉઠાવીને વહેલી સવારે આગને કાબુમા લીધી હતી બીજી બાજુ આગમાં કોઇ દાઝયુ નથી, કોઇને ઇજા થઇ નથી એવું સત્તાવાર નિવેદન કંપની દ્રારા આપવામાં આવ્યુ હતું.
જામનગર નજીક મોટી ખાવડી સ્થીત રિલાયન્સ મોલમાં ગત રાત્રીના ૧૦–૩૦ કલાક પછી કોઇ કારણસર આગ ફાટી નીકળતા અને જોતજોતામાં આગે વિકરાઇ સ્વરૂપ લેતા ભારે દોડધામ મચી ગઇ હતી, રિલાયન્સ કંપનીના ફાયર ફાઇટરો, જામનગર ફાયર બ્રિગેડની ટુકડી, સિક્કા ટીપીએસ કોલોની, જી.એસએફસી, રાજકોટ મહાનગરપાલકા ફાયરની બે ટિમ સહિતના ફાયર ફાઈટરો દોડી ગયા હતા અને તાકીદે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આગ એટલી વિકરાળ હતી કે કિલોમીટરો સુધી આગના લબકારા અને ધુમાડાના મોટા ગોટે ગોટા જોવા મળ્યા હતા, અને અહીથી પસાર થનારા વાહનોને ડાઇવર્ટ કરવા તેમજ અન્ય વાહનો બિનજરૂરી રીતે પસાર ન થાય એ માટે પોલીસ દ્રારા વાહન વ્યવહાર ન ખોરવાય એ પ્રકારની કાર્યવાહી કરાઇ હતી ઉપરાંત પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતું નજીકના વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોને ત્યાથી દુર ખસેડવામાં આવ્યા હતા. મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્રારા તાત્કાલિક અસરથી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. જિલ્લાનું અન્ય પોલીસ તત્રં પણ દોડતું થયું છે. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, અને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરાયા હતા અને વહેલી સવારે સાતેક વાગ્યે આગ પર સંપુર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, રિલાયન્સ કંપનીનો આ મોલ ગુજરાતનો સૌથી મોટો મોલ હોવાથી કરોડો રૂપીયાની નુકશાનીનો અંદાઝ કાઢવામાં આવી રહયો છે જેનો સત્તાવાર આકં હવે સામે આવશે.
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ મોલમાં રાત્રિના સમયે આગની ઘટના બન્યા પછી કોઈ જાનહાનીના અહેવાલ પ્રા થયા નથી, પરંતુ જિલ્લાના વહીવટી તત્રં દ્રારા મેડિકલની ટીમને શાબદી કરી દેવામાં આવી છે. જેમાં સૌપ્રથમ મોટીખાવડી અને આસપાસની વિસ્તારની ચાર ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સને રિલાયન્સ મોલની બહાર સ્ટેન્ડબાયમાં મૂકી દેવામાં આવી હતી. સાથોસાથ રિલાયન્સ કંપનીની એમ્બ્યુલન્સને પણ રિલાયન્સ મોલની બહાર તૈયાર રખાઇ હતી તેમજ મેડિકલ સ્ટાફને પણ સ્ટેન્ડ બાય તૈયાર રખાયો હતો.
રિલાયન્સના મોલમાં લાગેલી આગમાં એક પણ વ્યકિત દાઝી નથી
કોઇને ઇજા પણ થઇ નથી . રિલાયન્સ કંપનીના પ્રવકતા દ્રારા રાત્રે જ કરાઇ સત્તાવાર ચોખવટ. જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આજના દિવસનું કામકાજ પૂર્ણ કરીને મોલ બધં થયા બાદ આગ લાગી હતી. તેમાં કોઇ જાનહાની થઈ નથી કે કોઇને ઇજા થઈ નથી. આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીકટ ઓથોરીટી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ આગને કાબુમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આગના કારણની તપાસ કરવામાં આવશે. તપાસ કરવામાં આવશે તેમ રાત્રે રિલાયન્સ કંપનીના પ્રવકતા દ્રારા સત્તાવાર રીતે કરાયેલી ચોખવટમાં જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરમાં લેન્ડસ્લાઈડને લીધે પાંચ હજાર ગુજરાતી પ્રવાસીઓ ફસાયા
April 21, 2025 10:31 AMકાશ્મીરમાં આજે પણ આંધી સાથે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં રજા, રામબનમાં વાદળ ફાટતા ભારે વિનાશ
April 21, 2025 10:24 AMનવી શિક્ષણનીતિ મુજબ આજે પ્રથમ વખત મળેલી સૌ. યુનિ.ની બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠક
April 21, 2025 10:23 AMગુજરાતમાં આજથી એક સપ્તાહ સુધી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ
April 21, 2025 10:21 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech