તાજેતરમાં જ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા મણિપુરથી શરૂ કરવામાં આવી છે. હાલ તો કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા નાગાલેન્ડથી આસામ પહોંચી છે. શિવસાગર જિલ્લામાંથી શરૂ થયેલી આ યાત્રા આસામના 17 જિલ્લામાંથી પસાર થશે. જેમાં ગુવાહાટી શહેર પણ સામેલ છે. જેને લઈને રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ ગુરુવારે કહ્યું હતું કે તેઓ ભારત જોડો ન્યાય યાત્રાને શહેરમાં પ્રવેશવા દેશે નહીં.
મીડિયા સાથે ખાસ વાતચીત કરતી વેળા આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાએ શહેરની અંદરથી પસાર થવાનું નથી. આ યાત્રા માટે જે કઇ પણ વૈકલ્પિક માર્ગ માંગવામાં આવશે, તેની પરવાનગી આપવામાં આવશે, પરંતુ જો શહેરની અંદર જવાનો આગ્રહ રાખવામાં આવશે તો પોલીસની વ્યવસ્થા કરી આપવામાં નહી આવે. એટલું જ નહીં મુખ્યમંત્રીએ કેસ કરવાનું પણ ઉચ્ચારણ કર્યું હતું અને ચૂંટણી બાદ ધરપકડ કરવામાં આવશે ત્યાં સુધીની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે હાલ કઇ પણ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
મુખ્યમંત્રી હિમંત બિસ્વાની વાત એ સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા રાજય સરકારના નિર્દેશોનું પાલન નહીં તેમજ શિસ્ત કે કાયદો વ્યવસ્થા જળવાશે નહીં તો રાજય સરકાર આકરા પાણીએ આવતા ખચકાશે નહી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech