જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા એક યુવાને પોતાની પાસેથી ૧૦ ટકા લેખે રાક્ષસી વ્યાજ વસુલી લીધા પછી વધુ વ્યાજની રકમ કઢાવવા માટે પોતાને તથા પોતાના મિત્રને માર મારવા અંગે રાંદલ નગરમાં રહેતા એક વ્યાજખોર શખ્સ અને તેના બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગેરકાયદે નાણાં ધીરધાર અંગે ગુનો નોધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શાંતિનગર શેરી નંબર-૨માં રહેતા અને કડિયા કામ કરતા વિશાલ રણછોડભાઈ ડાભી નામના ૨૭ વર્ષના યુવાનને પૈસાની જરૂરિયાત હોવાથી રાંદલ નગર વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ જાડેજા નામના શખ્સ પાસેથી ૧૦,૦૦૦, ૧૦ ટકા લેખે વ્યાજથી લીધા હતા.
જેનું કટકે કટકે ૨૪,૦૦૦ વ્યાજ ચૂકવી દીધું હતું, તેમ છતાં યુવરાજસિંહ જાડેજા દ્વારા વધુ પૈસા કઢાવવા માટે ધમકી અપાતી હતી, જેથી વિશાલે વધુ પૈસા આપવાની ના પાડી હતી.
દરમિયાન વિશાલ અને તેનો મિત્ર વિપુલ કે જેઓ ગઈકાલે મેહુલ પાર્ક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, દરમિયાન યુવરાજસિંહ જાડેજા તેના બે સાગરીતો સાથે ધસી આવ્યો હતો, અને વિશાલ અને તેના મિત્ર પર ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કરી દીધો હતો, અને વધુ વ્યાજના પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
જે મામલો સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસે વિશાલ ડાભીની ફરિયાદના આધારે યુવરાજસિંહ જાડેજા અને તેના બે સાગરીતો સામે હુમલા અંગેની તેમજ ગેરકાયદે નાણા ધીરધાર કરવા અંગે ગુનો નોંધ્યો છે, અને આરોપીઓને પકડવા માટેની કવાયત શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પાસે પ્રેમિકાના પતિની જીપ ચડાવીને કરપીણ હત્યા
April 07, 2025 01:22 PMજામનગરમાં આકરો તાપ: ૩૯ ડીગ્રી તાપમાન
April 07, 2025 01:19 PMજામનગર પંથકમાં માતા-પુત્ર સહિત ચાર વ્યક્તિઓ ગુમ
April 07, 2025 01:05 PMદ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશને રામ-લલ્લાના શણગાર કરાયા
April 07, 2025 01:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech