જામનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીની દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પરેડ માટે પસંદગી કરાઈ
જામનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થી અને ૨૭-ગુજરાત બટાલિયન એન.સી.સી. જામનગરના કેડેટ સોઢા ક્રિશ્નપાલસિંહ હકુભાની આગામી તા.૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યોજાનાર પરેડ માટે પસંદગી કરાઈ છે. તેઓ આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫, પ્રજાસત્તાકદિન પરેડમાં દિલ્હી ખાતે ઉપસ્થિત રહી જામનગર એન.સી.સી.નું પ્રતિનિધિત્વ કરશે.
આ પરેડમાં ભાગ લેવા જનાર કેડેટને રાષ્ટ્રપતિશ્રી તથા વડાપ્રધાનશ્રી દ્વારા આયોજીત ભોજન સમારંભ માટે પણ નિમંત્રણ મળ્યું છે. સોઢા ક્રિશ્નપાલસિંહને એન.સી.સી. પી.આઈ. સ્ટાફ, સીનીયર કેડેટ તથા લેફ્ટનન્ટ રમેશજોષીએ તાલીમ આપી હતી. તેમજ સંસ્થાના પ્રિન્સીપાલશ્રી આર. એસ. ત્રિવેદી તથા જે. આર. શાહ તેમજ ૨૭-ગુજરાત બટાલિયન એન.સી.સી.ના CO કર્નલ મનીષ દેવરેએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં બેક ઓફ બરોડાની લાલ બંગલા બ્રાંચમાં ATM માં પૈસા જમા કર્યા...પણ થયા નહી
April 15, 2025 05:58 PM‘મંદિરની સુરક્ષા વધારી દ્યો...’ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમિલનાડુથી ઇ-મેઇલ મળ્યો
April 15, 2025 05:57 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech