મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને આંદોલન કરી રહેલા કાર્યકતર્િ મનોજ જરાંગે પાટીલની માંગણીઓને શિંદે સરકારે સ્વીકારી લીધી છે. જે બાદ તેમણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન જરાંગેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પણ પ્રશંસા કરી હતી.મરાઠા સમુદાય માટે અનામતની માગ કરનારા કાર્યકતર્િ મનોજ જરાંગે પાટીલે જણાવ્યું હતું કે, ’મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી માગને સ્વીકારવામાં આવી છે. અમે તેમનો પત્ર સ્વીકારીશું.’ મરાઠા અનામતના આંદોલન પર મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું, ’મહારાષ્ટ્રમાં મનોજ જરાંગે પાટીલના નેતૃત્વમાં મરાઠા સમુદાય માટેના અનામતને લઈને ચાલી રહેલું આંદોલન ઉકેલ પર પહોંચી ગયું છે. આજે પસાર થયેલા વટહુકમમાં તમામ સમસ્યાઓનો ઉકેલ છે.’
આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે, ’મનોજ જરાંગેએ જાહેરાત કરી છે કે ઉકેલ આવી ગયો હોવાથી આંદોલન ચાલુ રાખવાની જરૂર નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદે મનોજ જરાંગેના ઉપવાસને જ્યુસ પીવડાવીને પારણા કરાવશે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી મરાઠા સમુદાય માટે અનામતની માગને લઈને આંદોલન કરી રહેલા કાર્યકતર્િ મનોજ જરાંગે પોતાના સમર્થકો સાથે નવી મુંબઈમાં ધામા નાખ્યા હતા. જો કે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લેતા તેમણે હવે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.
શા માટે કરવામાં આવી રહ્યું હતું આંદોલન?
મનોજ જરાંગે મરાઠા સમુદાય માટે ઓબીસી હેઠળ સરકારી નોકરી અને શિક્ષણમાં અનામતની માંગણીને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા. તેમની પહેલી માંગણી હતી કે મરાઠા સમુદાયને ફુલફ્રુફ અનામત મળે. જ્યાં સુધી બધા મરાઠાઓને અનામતનો લાભ ન મળે ત્યાં સુધી તેઓ ઘરે જશે નહીં. અનામત આંદોલનકારીઓ વિરુદ્ધ નોંધાયેલા અપરાધોને રદ કરવા માટે તારીખ નક્કી થાય. જરાંગેએ એવી પણ માંગણી રજૂ કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજિક પછાતપણાના સર્વેક્ષણ માટે રકમ આપે અને કમિટી બનાવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા, ઓખામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં બે મહિલા સહિત તેર ઝડપાયા
April 11, 2025 10:28 AMકમરમાં સાંકળ, હાથમાં બેડીઓ... આ રીતે તહવ્વુર રાણાને NIAને સોંપવામાં આવ્યો, તસવીર સામે આવી
April 11, 2025 10:26 AMટ્રેક્ટર ચાલકની બેદરકારીથી ડાંગરવડના તરુણનું અપમૃત્યુ
April 11, 2025 10:23 AMશ્રી બાલા હનુમાન ગ્રુપ દ્વારા વંદના મહોત્સવના ભવ્ય અને દિવ્ય આયોજન ની તૈયારી અંતિમ તબક્કામાં
April 11, 2025 10:20 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech