પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મીના માજીદ બ્રિગેડે હુમલાની જવાબદારી લીધી : ચીન અને પાકિસ્તાન પર આ વિસ્તારના સંસાધનોનું શોષણ કરવાનો લગાવ્યો આરોપ
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન, તુર્બત ખાતે પીએનએસ સિદ્દીકી પર હુમલો કરવામાં આવ્યો છે અને આ વિસ્તારમાંથી અનેક વિસ્ફોટના અહેવાલ મળ્યા હતા. અહેવાલ અનુસાર, પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ના માજીદ બ્રિગેડે તુર્બતમાં નેવલ એરબેઝ પર હુમલાની જવાબદારી લીધી છે. મજીદ બ્રિગેડ બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે અને ચીન અને પાકિસ્તાન પર આ વિસ્તારના સંસાધનોનું શોષણ કરવાનો આરોપ લગાવે છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારે ગોળીબાર અને વિસ્ફોટ ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલુ રહ્યા હતા.
બીએલએએ દાવો કર્યો છે કે તેના લડવૈયાઓ એરબેઝમાં ઘૂસી ગયા છે. આ સિવાય ચીનના ડ્રોન પણ આ બેઝ પર તૈનાત છે. બીએલએએ હુમલામાં "એક ડઝનથી વધુ" પાકિસ્તાની જવાનોને માર્યા હોવાનો પણ દાવો કર્યો છે. આ ઉપરાંત બીએલએએ એક ઓડિયો ક્લિપ પણ બહાર પાડી છે. હુમલા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ તુર્બતમાં ઈમરજન્સી લાદી દીધી છે અને તમામ ડોક્ટરોને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તુર્બતમાં આજનો હુમલો બીએલએ મજીદ બ્રિગેડ દ્વારા અઠવાડિયામાં બીજો અને આ વર્ષે ત્રીજો હુમલો છે.
અગાઉ 29 જાન્યુઆરીએ, તેણે ગ્વાદરમાં લશ્કરી ગુપ્તચર મુખ્યાલય એવા માચ શહેરને નિશાન બનાવ્યું હતું, 20 માર્ચે તેણે તુર્બતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌકાદળના એરબેઝ પર હુમલો કર્યો હતો. 20 માર્ચે, પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં અનેક વિસ્ફોટો અને ગોળીબારના અહેવાલો પછી શરૂ થયેલી લડાઇમાં બે પાકિસ્તાની સૈનિકો અને આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઠ આતંકવાદીઓના એક ગ્રૂપે પોર્ટ ઓથોરિટી કોલોનીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળો દ્વારા તેમના પ્રયાસને "સફળતાપૂર્વક નિષ્ફળ" કરવામાં આવ્યો હતો. ચીન દ્વારા નિયંત્રિત ગ્વાદર પોર્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર માટે મહત્વપૂર્ણ છે. તેમાં અબજો ડોલરના રોડ અને ઉર્જા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે અને તે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો પણ એક ભાગ છે.
પ્રતિબંધિત આતંકવાદી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને નવેમ્બર 2022 માં સરકાર સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત કર્યા પછી, પાકિસ્તાને પાછલા વર્ષમાં ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો જોયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech