વિદેશ મંત્રી એસ જયશંકરે આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પર પાકિસ્તાનના કબજાને લઈને દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નેહરુ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. જયશંકરે કહ્યું કે પાકિસ્તાને કોઈની નબળાઈ કે ભૂલને કારણે પીઓકે પર કબજો કર્યો છે. વિશ્વબંધુ નામના કાર્યક્રમ દરમિયાન પીઓકેને ભારતમાં પાછું મેળવવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતા વિદેશ મંત્રીએ આ જવાબ આપ્યો હતો.
એસ જયશંકરને પૂછવામાં આવ્યું હતું કે શું ભારત POKને ભારતમાં એકીકૃત કરવા માટે 'લક્ષ્મણ રેખા' પાર કરી શકે છે. જયશંકરને પૂછવામાં આવ્યું હતું કે ચીન અને પાકિસ્તાનનો કોમન ઈકોનોમિક કોરિડોર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ બાલ્ટિસ્તાનમાંથી પસાર થાય છે તેમ છતાં શું ભારત PoKના ભારતમાં વિલીનીકરણ તરફ પગલાં લેશે? તેના પર વિદેશ મંત્રીએ કહ્યું કે મને નથી લાગતું કે 'લક્ષ્મણ રેખા' જેવી કોઈ વસ્તુ હોય. પીઓકે ભારતનો ભાગ છે, ફક્ત કોઈની નબળાઈ કે ભૂલને કારણે તે આપણાથી અસ્થાયી રૂપે દૂર થઈ ગયો છે.
એસ જયશંકરે કહ્યું કે હું ચીનમાં ભારતનો રાજદૂત હતો. આપણે બધા ચીનના ભૂતકાળના કાર્યો અને પાકિસ્તાન સાથેની મિલીભગતથી વાકેફ છીએ. તેનો ઈતિહાસ ઘણો જૂનો છે. અમે તેમને પીઓકે વિશે વારંવાર જણાવ્યું છે. તેમને ઘણી વખત સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાન કે ચીન આ જમીન પર દાવો કરી શકે નહીં. આ જમીન પર જો કોઈ દાવેદાર હોય તો તે ભારત છે. અમે ચીનને ઘણી વાર કહ્યું કે તમે પીઓકે પર કબજો કરી રહ્યા છો, તમે ત્યાં મકાન બનાવી રહ્યા છો, પરંતુ આ પીઓકેની કાનૂની માલિકી અમારી છે.
જયશંકરે બેઇજિંગ અને ઇસ્લામાબાદ વચ્ચે 1963ના સરહદ કરારનો પણ ઉલ્લેખ કર્યો. આ કરાર હેઠળ પાકિસ્તાને લગભગ 5000 કિલોમીટરનો વિસ્તાર ચીનને સોંપ્યો હતો. એસ જયશંકરે કહ્યું કે 1963માં પાકિસ્તાન અને ચીન તેમની મિત્રતાને આગળ વધારવા માટે સંમત થયા હતા. ચીન સાથેની નિકટતા વધારવા માટે પાકિસ્તાને પીઓકેનો લગભગ 5000 કિમી વિસ્તાર ચીનને સોંપી દીધો છે. એસ જયશંકરે કહ્યું કે મને લાગે છે કે આપણે આપણી સ્થિતિ ખૂબ જ મજબૂત રાખવાની જરૂર છે. આપણામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. દસ વર્ષ પહેલાં, તમારામાંથી કોઈએ આવી વાત કરી ન હતી. આ એક પરિવર્તન છે. હવે પણ ભારતના લોકોને વિશ્વાસ છે કે પીઓકે ભારતનો ભાગ બનશે. આ સપ્તાહમાં બીજી વખત છે જ્યારે વિદેશ મંત્રીએ પીઓકેને લઈને આ નિવેદન આપ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMonsoon Update: ચોમાસું વહેલું કેમ આવ્યું? સમજો ચોમાસાનું આખુ સાયન્સ
May 25, 2025 08:43 PMપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech