હાલ જાપાનના લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તેનું કારણ છે 7.6ની તીવ્રતાનો ભૂકંપ. જેમાં 30 લોકોના મોત થયા છે. જયા એક તરફ પહેલી જાન્યુઆરીના નવુ વર્ષ નવી આશા અને ઉમંગ સાથે આવ્યું, ત્યાં જાપાનમાં નવા વર્ષના 150થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનમાં આ પ્રકારે ભૂકંપના આચકા હાલ તો ચિંતાનો વિષય બન્યા છે. ત્યારે સાઉથના અભિનેતા એનટીઆરએ આ માટે તેમની સંવેદના વ્યક્ત કરી પ્રાર્થના કરી છે.
અભિનેતા જુનિયર એનટીઆરએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી તેમની સંવેદના વ્યક્ત કરી હતી. જેમાં તેમણે જાપાનના લોકો માટે પ્રાર્થના કરી છે અને તેમને પ્રોત્સાહિત કર્યા છે. અભિનેતાએ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, હું જાપાનથી પરત ફર્યો છું અને ત્યાં ભૂકંપ વિશે સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત છું. મેં મારું આખું સપ્તાહ ત્યાં વિતાવ્યું છે અને આ ભૂકંપથી પ્રભાવિત ત્યાં રહેતા લોકો માટે હું લાગણીશીલ છું. હું ત્યાંના લોકોની સ્થિતિસ્થાપકતાથી પ્રભાવિત થયો છું અને આ નુકસાનમાંથી તેઓ ઝડપથી બહાર આવે તેવી શુભેચ્છા પાઠવું છું.
આપને જણાવી દઇએ કે અભિનેતા જુનિયર એનટીઆર થોડા સમય પહેલા હૈદરાબાદ એરપોર્ટ પર તેના પરિવાર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તેઓ પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા જાપાન ગયા હતા. તેમણે ત્યાં ખૂબ આનંદ કર્યો પરંતુ ત્યાંથી પરત આવ્યા બાદ જુનિયર એનટીઆર જાપાનની સ્થિતિ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઇ ગયા છે અને ત્યાંના લોકોની સુરક્ષા માટે પણ પ્રાર્થના કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech