સીએએ પર દિલ્હી સીએમનું વિવાદાસ્પદ નિવેદન : હિન્દુ અને શીખ શરણાર્થીઓએ કેજરીવાલના ઘર નજીક જઈ કર્યો વિરોધ
દિલ્હીના વિવિધ ભાગોમાં રહેતા હિન્દુ અને શીખ શરણાર્થીઓ આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિવિલ લાઇન્સના નિવાસસ્થાન નજીકના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સીએએને લઈને પ્રેસ કોન્ફરન્સમાં તેમના દ્વારા કરવામાં આવેલા નિવેદનો માટે તેમની પાસેથી માફી માંગવાની પણ માંગ કરાઈ છે. પ્રદર્શનકારીઓ ચાંદગીરામ અખાડા પાસે એકઠા થયા અને કેજરીવાલના બંગલા તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા હતા.
પ્રદર્શનકારીઓએ કહ્યું કે કેજરીવાલે સીએએ અને શરણાર્થીઓ વિરુદ્ધના તેમના નિવેદનો પાછા ખેંચવા જોઈએ અને માફી માંગવી જોઈએ. પ્રદર્શનકારીઓમાંના એક પંજુરામે કહ્યું, 'નરેન્દ્ર મોદી સરકાર અમને નાગરિકતા આપી રહી છે જ્યારે કેજરીવાલ પૂછે છે કે અમને નોકરી અને મકાન કોણ આપશે. તે અમારું દુઃખ સમજી શકતો નથી. રોહિણી, આદર્શ નગર, સિગ્નેચર બ્રિજ પાસે અને મજનુ કા ટીલામાં રહેતા હિન્દુ અને શીખ શરણાર્થીઓએ મુખ્યમંત્રી આવાસ નજીક ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
એક પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે બુધવારે કહ્યું, 'આ કાયદા (સીએએ) સાથે કેન્દ્રની ભાજપ સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં ગરીબ લઘુમતીઓ માટે ભારતમાં આવવાના દરવાજા ખોલી દીધા છે. આ 1947 કરતાં પણ મોટું સ્થળાંતર હશે. કાયદો અને વ્યવસ્થા પડી ભાંગશે. દિલ્હીમાં ચોરી, બળાત્કાર, લૂંટ જેવા ગુનાઓ વધશે. જો સીએએ લાગુ થયા પછી પાડોશી દેશોમાંથી 1.5 કરોડ લઘુમતીઓ પણ ભારત આવે છે, તો સ્થિતિ 'ખતરનાક' બની જશે.
કેજરીવાલે દાવો કર્યો હતો કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં 3.5 કરોડ લઘુમતીઓ છે. તેમણે આરોપ લગાવ્યો કે, 'ભાજપ પાકિસ્તાન અને બાંગ્લાદેશના ગરીબ પ્રવાસીઓને ઘર અને નોકરી આપીને વસાવવામાં અમારા લોકોના પૈસા ખર્ચવા માંગે છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થવાનો છે કારણ કે પડોશી દેશોમાંથી ભારતમાં આવેલા અને સીએએને કારણે વસેલા ગરીબ લઘુમતીઓ તેની વોટ બેંક બની જશે. તેમણે કહ્યું કે જો આ કાયદો રદ નહીં કરવામાં આવે તો લોકો ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ વોટ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech