તામિલનાડુના 200 જેટલા ખેડૂતો પાકના ભાવ સહિતની વિવિધ માંગણીઓને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા ખેડૂતો તેમની સાથે આત્મહત્યા કરી ચૂકેલા ખેડૂતોની ખોપરી અને હાડકા પણ લઈ જઈ રહ્યા છે. દરમિયાન વિરોધ કરી રહેલી એક મહિલા ખેડૂત ઝાડ પર ચઢી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા આત્મહત્યા કરવા માટે ઝાડ પર ચઢી હતી. મહિલાને ઝાડ પરથી નીચે ઉતારવા માટે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મહિલાને ઝાડ પરથી નીચે ઉતારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સાથે જ વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે વારાણસી જઈને પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી લડીશું. તેમણે એમ પણ કહ્યું કે તેમણે અગાઉ પણ તેમની માંગણીઓ માટે વિરોધ કર્યો હતો. અમે પીએમના વિરોધમાં નથી કે કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી. અમને ફક્ત તેમની મદદ જોઈએ છે.
ખેડૂતોનો આરોપ છે કે શરૂઆતમાં તેમને વિરોધ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી, પરંતુ બાદમાં તેઓએ કોર્ટની પરવાનગી લીધી હતી. ખેડૂત નેતાએ કહ્યું કે, અમે લોકશાહી દેશમાં રહીએ છીએ અને અમને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ પોલીસે અમને રોક્યા. તમિલનાડુના ખેડૂતોએ અગાઉ પણ જંતર-મંતર પર આવા જ વિરોધ પ્રદર્શન કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech