જેડીયૂ હોય, રાજદ હોય, આપ હોય કે બસપા લોકસભાની ચૂંટણી લડવા ઇન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. પરંતુ સીટ વહેંચણીનુ કોકડુ હજુ પણ વણઉકેલાયેલું જ છે. સીટ વહેંચણીના ફસાયેલા પેચ માટે કોઇ સુખદ સમાધાન આવ્યું નથી. ત્યારે પશ્ચિમ બંગાળમાં પણ કોંગ્રેસને તૃણમૂલ કોંગ્રેસ સાથે વાત નથી બની રહી. તૃણમૂલ કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે સીટ શેરિંગ મુદ્દે કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિ સાથે કોઇ પણ બેઠકમાં તેના પ્રતિનિધિઓને મોકલશે નહીં, કારણ કે તેણે પહેલેથી જ દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીને પોતાનું સ્ટેન્ડ જણાવી દીધું છે. તૃણમૂલના સૂત્રોએ આ અંગે જાણકારી આપી હતી.
કોંગ્રેસની ગઠબંધન સમિતિ સીટ શેરીંગ મુદ્દે 'ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ'ના તેમના સાથી પક્ષો સાથે રાજ્યવાર વાટાઘાટો કરી રહી છે. તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસને 2019ની લોકસભા ચૂંટણીમાં જીતેલી બે બેઠકોની ઓફર કરી છે. મહત્વનું છે કે, બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. એવામાં તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસને માત્ર બે બેઠકોની ઓફર કરતા કોંગ્રેસનું કહેવું છે કે બે બેઠકો ઘણી ઓછી છે અને તેને સ્વીકારવી મુશ્કેલ છે. આ પ્રસ્તાવમાં માત્ર તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી જ કોઈ ફેરફાર કરી શકે છે.
પક્ષના સૂત્રોએ એમ જણાવ્યું હતું કે, તૃણમૂલ મેઘાલયમાં એક બેઠક અને આસામમાં ઓછામાં ઓછી બે બેઠકો પર ચૂંટણી લડવાનો વિચાર કરી રહી છે. તૃણમૂલનું સ્થાનિક એકમ ગોવાની એક બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છે છે, જ્યાં તેને 2022ની વિધાનસભા ચૂંટણીમાં લગભગ પાંચ ટકા મત મળ્યા હતા, પરંતુ તે તેના માટે દબાણ કરશે નહીં અને દરિયાકાંઠાના રાજ્યમાં કોંગ્રેસને સમર્થન આપશે.
બંગાળના સંદર્ભમાં પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, તૃણમૂલની ઓફર છેલ્લી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના વોટ શેર પર આધારિત છે. બંગાળની 42માંથી ઓછામાં ઓછી 39 બેઠકો પર કોંગ્રેસને ભૂતકાળમાં પાંચ ટકાથી ઓછા મત મળ્યા હતા. બંગાળમાં કોંગ્રેસને 2021ની વિધાનસભા ચૂંટણીમાં 2.93 ટકા, 2016ની વિધાનસભા ચૂંટણીમાં 12.25 ટકા અને 2019ની લોકસભા ચૂંટણીમાં 5.67 ટકા વોટ મળ્યા હતા.
આ તરફ રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, બંગાળમાં લોકસભાની 42 બેઠકોને ધ્યાનમાં રાખીને મમતા લઘુમતી વોટબેંકનું વિભાજન થાય તેમ ઇચ્છતા નથી. આ જ કારણ છે કે તે કોંગ્રેસને તેમની છાવણીમાં લાવવા ઇચ્છે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં કાલથી ચાર દિવસીય યોગ શિબિર
May 20, 2025 11:37 AMઅખંડ ભારતના વીર સપૂત પંડિત નથુરામ ગોડસેજીના જન્મદિવસે હિંદુ સેનાએ લીધા સંકલ્પ
May 20, 2025 11:29 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech