પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે પીએમ નરેન્દ્ર મોદીને એક ખાસ પુસ્તકની ભેટ આપી હતી. જીહા, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ તેમનું પુસ્તક ‘પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’ પીએમ મોદીને ભેટ રૂપે આપ્યું હતું.
એટલું જ નહીં શર્મિષ્ઠા મુખર્જીએ પીએમ મોદી સાથેની તેમની મુલાકાત વેળાની તસવીરો તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે જ તેમણે પીએમ નરેન્દ્ર મોદીને તેમનું પુસ્તક ભેટ આપ્યાની જાણકારી આપી હતી. આ મુલાકાત માટે તેમણે કહ્યું હતું કે, હંમેશની જેમ, વડાપ્રધાન તેમના પ્રત્યે દયાળુ હતા અને બાબા એટલે કે પ્રણવ મુખર્જી માટે તેમનો આદર ઓછો થયો ન હતો. અંતમાં તેમણે આભાર પણ વ્યક્ત કર્યો હતો.
મહત્વનું છે કે, શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના પુસ્તક 'પ્રણવ માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ'માં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશે ઘણા દાવા કર્યા છે. તેમણે પુસ્તકમાં દાવો કર્યો છે કે તેમના પિતા એટલે કે પ્રણવ મુખર્જીએ તેમને એકવાર કહ્યું હતું કે રાહુલ ગાંધી ઘણા પ્રશ્નો પૂછે છે, પરંતુ તેમનામાં પરિપક્વતાનો અભાવ છે.
એટલું જ નહીં મુખર્જીએ પુસ્તકમાં લખ્યું છે કે એકવાર તેમણે પિતા પ્રણવ મુખર્જીને પૂછ્યું હતું કે શું તેઓ વડાપ્રધાન નહીં બને? આ અંગે સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે,સોનિયા ગાંધી તેમને પીએમ નહીં બનાવે. શર્મિષ્ઠા મુખર્જીએ તેમના પુસ્તકમાં પિતાને યાદ કરતા જે કિસ્સાઓ વર્ણવ્યા છે અને જે દાવા કરવામાં આવ્યા છે તે ઘણા ચોંકાવનારા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech