દિલ્હીની આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આજે તેમના પર થયેલા હુમલાની ઘટના બાદ પહેલીવાર ઈન્ટરવ્યુ આપ્યો છે. દિલ્હી મહિલા આયોગ (DWC)ના પૂર્વ અધ્યક્ષે આ ઘટના અંગે તમામ હકીકતો જાહેર કરી છે. માલીવાલે જણાવ્યું કે તે 13 મેના રોજ સવારે 9 વાગ્યે સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે તેમને મળવા પહોંચી હતી. ત્યાં હાજર સ્ટાફે મને ડ્રોઈંગ રૂમમાં બેસાડી. મને કહેવામાં આવ્યું કે કેજરીવાલ ઘરે છે અને થોડા સમય પછી મને મળવા આવી રહ્યા છે.
અત્યારે હું જે કંઈ અનુભવી રહી છું, હું ઈચ્છું છું કે, ભગવાન કોઇની સાથે આવું ના કરે, કેમ કે, મારું બધું જ ખોવાઈ ગયું, મારું બધું જ લૂંટાઈ ગયું. જ્યાં, મેં આટલી મહેનત કરી, આટલું કામ કર્યું. ત્યાં જ, આ બધું મારી સાથે થયું. આજે, હું જેની સાથે કામ કરતી હતી તે જ લોકો મારા પરિવાર સુધી પહોંચી ગયા છે. તેના ઘરમાં મારું ચીર હરણ કરવામાં આવ્યું હતું પરંતુ હવે રોજ મારા ચરિત્રનું હનન થઈ રહ્યું છે. મને સમજાતું નથી કે આ કેવી રીતે થયું અને શા માટે.
માલીવાલે જણાવ્યું કે જ્યારે તે કેજરીવાલના ડ્રોઈંગ રૂમમાં બેસીને રાહ જોઈ રહી હતી, તે જ સમયે કેજરીવાલના પીએસ બિભવ કુમાર ત્યાં પહોંચી ગયા. બિભવ કુમાર આવતાની સાથે જ તેણે મને મારવાનું શરૂ કર્યું. બિભવે કોઈ કારણ વગર મને સાત-આઠ વાર માર માર્યો હતો. મેં તેને દૂર ધકેલી દેવાનો પ્રયાસ કર્યો ત્યારે બિભવે મારો પગ પકડી લીધો હતો. મને નીચે ખેંચી પછી મારું માથું સેન્ટ્રલ ટેબલ સાથે અથડાયું. આ પછી બિભવે મને લાત મારવાનું શરૂ કર્યું. માલીવાલે કહ્યું કે આ દરમિયાન હું ખૂબ જોરથી ચીસો પાડી રહી હતી, પરંતુ કોઈ મારી મદદ કરવા ન આવ્યું.
સ્વાતિ માલીવાલે કહ્યું કે મારી સામે આખી પાર્ટીને મેદાનમાં ઉતારવામાં આવી છે. દરરોજ પત્રકાર પરિષદ યોજાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હું ભાજપની એજન્ટ છું. હું છેલ્લા નવ વર્ષથી જાહેર જીવનમાં છું. મેં આ દેશમાં કોઈ પણ જાતના ડર વગર ઘણા મોટા મુદ્દા ઉઠાવ્યા છે. જ્યાં મને લાગ્યું કે કંઈક ખોટું છે ત્યાં મેં કાર્યવાહી કરી અને આજે હું ભાજપની એજન્ટ બની ગઇ છું? માલીવાલે કહ્યું કે જ્યાં સુધી મેં ફરિયાદ નોંધાવી નતી ત્યાં સુધી હું પાર્ટી માટે લેડી સિંઘમ હતી. પરંતુ આજે જ્યારે મેં ફરિયાદ નોંધાવી ત્યારે હું ભાજપનો એજન્ટ બની ગઇ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech