પાછલા એક મહિનામાં શાકાહારી થાળી મોંઘી થતી જોવા મળી હતી. મે મહિનામાં પણ શાકાહારી થાળીની સરેરાશ કિંમત નવ ટકા વધી છે. આજે જારી કરાયેલા એક રિપોર્ટમાં આનું કારણ ડુંગળી, ટામેટા અને બટાકાના ભાવમાં વધારો જણાવવામાં આવ્યો હતો. ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસના માસિક 'રોટી ચાવલ રેટ' રિપોર્ટમાં શાકાહારી થાળી મોંઘી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, બ્રોઈલર ચિકનના ભાવમાં ઘટાડો થવાને કારણે માંસાહારી ખોરાકની કિંમતમાં ઘટાડો થયો છે.
રિપોર્ટ અનુસાર, મે મહિનામાં શાકાહારી ખોરાકની કિંમત વધીને 27.8 રૂપિયા પ્રતિ પ્લેટ થઈ ગઈ, જે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં 25.5 રૂપિયા હતી. જ્યારે એક મહિના પહેલા એપ્રિલમાં શાકાહારી થાળીની કિંમત 27.4 રૂપિયા હતી. આ થાળીમાં મુખ્યત્વે રોટલી, શાકભાજી (ડુંગળી, ટામેટા અને બટાકા), ચોખા, દાળ, દહીં અને સલાડનો સમાવેશ થાય છે. અહેવાલમાં શાકાહારી થાળીના ભાવમાં એકંદરે ટામેટાંના ભાવમાં 39 ટકાનો વધારો, બટાકામાં 41 ટકા અને ડુંગળીના ભાવમાં 43 ટકાના વધારાને જવાબદાર ગણવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ, પશ્ચિમ બંગાળમાં પાક નિષ્ફળ જવાને કારણે રવિ પાકના ક્ષેત્રમાં ભારે ઘટાડો અને બટાકાની અને ડુંગળીની ઓછી આવકને કારણે આ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આ સિવાય ચોખા અને દાળના ભાવમાં પણ અનુક્રમે 13 ટકા અને 21 ટકાનો વધારો થયો છે. જોકે, જીરું, મરચાં અને વનસ્પતિ તેલના ભાવમાં અનુક્રમે 37 ટકા, 25 ટકા અને આઠ ટકાનો ઘટાડો થયો છે.
મે મહિનામાં માંસાહારી થાળીની કિંમત ઘટીને રૂ. 55.9 થઈ છે, જ્યારે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તે રૂ. 59.9 હતી. આ એપ્રિલ, 2024માં પ્લેટ દીઠ 56.3 રૂપિયાની કિંમત કરતાં ઓછી છે. માંસાહારી થાળીમાં અન્ય તમામ ઘટકો સમાન હોય છે, પરંતુ દાળને બદલે ચિકન મીટ હોય છે. અહેવાલમાં જણાવાયું છે કે વાર્ષિક ધોરણે બ્રોઈલર ચિકનના ભાવમાં 16 ટકાનો ઘટાડો નોનવેજ થાળીની કિંમતમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે. માંસાહારી થાળીની કુલ કિંમતમાં બ્રોઇલર્સનો હિસ્સો 50 ટકા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech